SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સાની ભારત જગી, તથા પિતાના ઉગ્ર બુદ્ધિયોગથી – ઊંડાં ચિંતન મનન અને નિદિધ્યાસન વડે, મહા જ્ઞાની ભક્ત પુરુષની વિરલ કોટિએ પહોંચ્યા. આ પુરુષાર્થનું સ્વરૂપ તેમનાં લખાણોમાંથી સમજવા જેવું ગણાય. શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મજીવનના વિકાસક્ષેત્રો લગ્નજીવનમાં પ્રવેશ પૂર્વજન્મના યોગે કરીને હોય, એમ માની શકાય : ગીતાની ભાષામાં, પૂર્વના તે યોગભ્રષ્ટ પુરુષ હશે, એમ કહેવાય. અધ્યાત્મ સાધના મરણથી ખતમ ન થતાં, નવા જન્મે પાછી ત્યાંથી એની મેળે શરૂ થાય છે; એવો આત્મ-જીવનના વિકાસને નકશો છે, એમ ધર્મશાસ્ત્ર બતાવે છે. કવિ રાજચંદ્ર પોતાના આંતર વિકાસનું પોતાના અંતરમાં નિગૂઢ આ ચિત્ર જોઈને જ કદાચ પિતાના પૂર્વજન્મની વાત કરી શકતા હશે.* તેમણે પિતાના લગ્ન અને સંસાર-જીવનને પૂર્વજન્મનું પ્રભાવક એવું ‘મેહનીય કહીને વર્ણવ્યું છે. વિ૦ નં૦ ૧૯૪૬ માં એક જણને તેમણે લખેલા પત્રમાં જોવા મળે છે કે, “કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસણી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાને છે, તેને સો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું (કેંદ્ર મોહનું) તે નિમિત્ત છે, મહને રહેવાનો અનાદિ કાળને પર્વત છે. પ્રત્યેક અંતર ગુફામાં જાજવલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ (એટલે કે, શ્રદ્ધાને આવિવેશ) થવી વિ. સં. ૧૯૪૫ માં, “[ અંગત ]' કરીને લખાયેલા મળતા. તેમના એક કવિતમાં આવી કડીઓ છે : અધ્યામની જનની તે ઉદાસીનતા. લધુવયથી અદ્ભુત થયે, તત્વજ્ઞાનને બધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શેધ? જે સંસ્કાર થ ઘટે, અતિ અભ્યાસે કાંય; ' વિના પરિશ્રમ તે થયે, ભવશંકા શી ત્યાંય? (શ્રી. પી.-૨૨૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy