SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ રાની ભક્તની પ્રતિભા - “આહાર, વિહાર, નિહારની નિયમિતતા; અર્થની સિદ્ધિ આર્ય જીવન ઉત્તમ પુરુષોએ આચારણ કર્યું છે; પરહિત એ જ નિજહિત સમજવું અને પરદુ:ખ એ પોતાનું દુ:ખ સમજવું; નીતિના બાંધા ઉપર પગ ન મૂકવો, જિતેંદ્રિય થવું; વિવેકબુદ્ધિથી સઘળું આચારણ કરવું; જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગૂંથાવું; સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી; આત્મજ્ઞાન અને સજજન-સંગત રાખવાં.” : ગીતાકારે જ્ઞાનની વ્યાખ્યા કરી છે (અ) ૧૩૮) તે અહીં યાદ કરવા જેવી છે. કવિજીવનમાં આ કાળે આવા જ્ઞાનની રમૂજ વિલસતી જોવા મળે છે. (જુઓ ૨૦ મા વર્ષે લખેલું “વચનામૃત', બી ૧૧૭મ કવચ સપ્તશતી” પા. ૧૫૪) ..' આ અરસામાં એમણે ધનપ્રાપ્તિ પણ કરવા માંડી હતી. શ્રીરામકૃષણ પરમહંસ કહેતા એમ, કામિની ઉપરાંત કાંચન એ જીવનું મોટું બીજું પ્રલોભન છે. કવિશ્રીની એ વિષે પણ સ્પષ્ટ મતિ હતી; એમાં ભૂલ ન ખવાય એટલા એ જાગ્રતાત્મા હતા. લક્ષ્મી વિષે એમણે એક સ્નેહીને (મુંબઈ, પોષ વદ ૧૦, બુધવાર, સં૦ ૧૯૪૪ રોજ) પત્ર લખેલે તેમાં કહે છે – “લગ્ન સંબંધી તેઓએ મિતિ નિશ્ચિત રાખી છે, - તે હતી ૧૯૪૪ મહા સુદ ૧૨) તે વિશે તેઓને આગ્રહ છે તે ભલે તે મિતિ નિશ્ચયરૂપ રહી. . “લક્ષ્મી પર પ્રીનિ નહીં છતાં, કોઈ પણ પાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત, એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો. જે સગવડનું ધારેલું પરિણામ આવવાને બહુ વખત નહોતે. પણ એ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી વદ ૧૩ કે ૧૪ (પષની)ને રોજ અહીંથી રવાના થાઉં છું.” (પરંતુ લક્ષ્મીને માટે લાલસા તે કેમ જ રખાય છે એટલે પત્રમાં આગળ તેમણે લખ્યું છે – “પરા કરતાં વખતે લક્ષ્મી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy