SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા કહેતા. તેમની માન્યતા હતી કે, જિનાગમમાં આત્મજ્ઞાનની પરાકાષ્ઠા છે. તેમને આ અભિપ્રાય મારે માટે આપી જવો આવશ્યક છે; તેને વિશે હું મત આપવા મને તદ્દન અનાધિકારી ગણું છું.” (“શ્રીમદ્ -રાજચંદ્ર અને ગાંધીજી’ – પા. ૫૫-૫૬) આમ કહીને ગાંધીજીએ અંતે (રાયચંદભાઈના ધર્મને વિચાર કરતાં) લખ્યું કે, “હું પતે તે એમ માનનારો છું કે, સર્વ ધર્મ તે તે ભકતની ‘દૃષ્ટિએ સંપૂર્ણ જ છે ને સર્વ ધર્મ અન્યની દૃષ્ટિએ અપૂર્ણ છે. સ્વતંત્ર રીતે વિચારતાં સર્વ ધર્મ પૂર્ણાપૂર્ણ છે. અમુક હદ પછી બધાં શાસ્ત્રો બંધન રૂપે લાગે છે. પણ એ તે ગુણાતીતની સ્થિતિ થઈ. રાયચંદભાઈની દૃષ્ટિએ તે કોઈને પિતાને ધર્મ છોડવાની આવશ્યકતા નથી. સહુ પોતાના ધર્મમાં રહી પોતાની સ્વતંત્રતા એટલે મક્ષ મેળવી શકે છે. કેમ કે, મોક્ષ મળવો એટલે સર્વાશે રાગદ્વેષ રહિત થવું.” (સદર પુસ્તક, પા. પ૭). શ્રીમના જીવનમાં સંન્યાસ અને વૈરાગ્યનો વિચાર કરું છું ત્યારે તેમને અંગે ગાંધીજીએ બીજી એક નોંધપાત્ર વસ્તુ કવિશ્રીના સ્વિભાવ વિશે નોંધી છે તે પણ સાથે સાથે જોવા જેવી છે:: “તેઓ ઘણી વાર કહેતા કે, ચોપાસથી કઈ બરછી ભેંકે તે સહી શકું; પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર આદિ ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઉકળ રહેલા – તેમને ઉકળી જતા મેં ઘણી વાર જોયા છે. તેમને આખું જગત પિતાનાં સગાં જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઈને જે કલેશ આપણને થાય છે, તેટલો કલેશ તેમને જગતનાં દુ:ખોને, મરણને જોઈને થો....... રાયચંદભાઈને દેહ એટલી નાની ઉંમરે પડી ગયો તેનું કારણ મને એ જ લાગે છે. તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy