SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૨૬૯ભાવાર્થ : વિવિધ ધ્યાનમાં સિદ્ધિ મેળવવાને અર્થે તમારું ચિત્ત જો સ્થિર થયેલું ઈચ્છતા હો, તો ઇષ્ટ અને અનિષ્ટ વિષયોમાં મોહ,. રાગ અને દ્વેષ કરવાનું છોડી દો. || ૪૮ || કોઈ પણ પ્રકારના વિષય ઉપર ધ્યાન કરતાં સાધુ સ્વરૂપસ્થિતિરૂપ એકાગ્રતા પ્રાપ્ત કરી સકામવૃત્તિઓથી રહિત થઈ શકે, ત્યારે તેને સાચું ધ્યાન પ્રાપ્ત થયું કહેવાય. ||, પપ . કોઈ કોઈ વાર શ્રી. રાજચંદ્ર બધાની વચમાં કલાકો સુધી મૌન-. પણે સમાધિસ્થ રહેતા; અથવા તે બધાને લઈ દૂર પહાડો ઉપર ચાલ્યા જતા. તે વખતે તે એવા આત્મવેગમાં રહેતા કે કાંટા, ઝાંખરાં કશાનું, તેમને ભાન રહેતું નહિ અને વેગપૂર્વક ઊંચે ઊંચે ચાલ્યા જતા. પછી કોઈ શિલા ઉપર જઈને બેસતા અને કાંઈ પઠનપાઠન કરતા અથવા ધાર્મિક વિવેચન કરતા. કોઈ કોઈ વાર તો હિંસ પશુઓનાં નિવાસસ્થાન સમીપ જ દેખાતાં. તે પ્રસંગો દરમ્યાન શ્રી. રાજચંદ્ર આખું “દ્રવ્યસંગ્રહ’ પુસ્તક મુનિઓને વાંચી સંભળાવ્યું હતું. શ્રી. રાજચંદ્ર આ વખતે ઈડરમાં ત્રણ માસ રહ્યા હતા. તે પોતાનો ઘણો વખત ગુફાઓમાં ગાળતા. ઈડરથી વવાણિયા તરફ શ્રી. રાજચંદ્ર ત્રણેક માસ માટે ગયા હતા. ત્યાંથી પાછા ફરી, થોડો વખત ઈડર રહી મુંબઈ ગયા હતા. સં. ૧૯૫૬માં કેટલોક કાળ તેમણે ધર્મપુરનાં જંગલોમાં ગાળ્યો હતે. ઈડરથી સં. ૧૯૫૬માં શ્રી. રાજચંદ્ર અમદાવાદ પાસેના નરોડા ગામમાં મુનિઓ રહેતા હતા ત્યાં પધાર્યા હતા. આ અરસામાં તેમણે સ્ત્રી અને લક્ષ્મીને ત્યાગ કર્યો હતો તથા તબિયત સારી થતાં માતાજીની. રજા મળે સંન્યાસ લેવાનું ધાર્યું હતું. ત્યાંથી શ્રી. રાજચંદ્ર વઢવાણ ગયા હતા. ત્યાંના નિવાસ દરમ્યાન તેમણે “પરમકૃતપ્રભાવક મંડળની સ્થાપના કરી. એક સારી રકમની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy