SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા એક વખત શ્રી. રાજચંદ્ર સુરત પધાર્યા ત્યારે મુનિ પાસે આવ્યા. ત્યાં શ્રી દેવકરણજીએ તેમને પૂછ્યું, “ શ્રી લુજી મહારાજ હું જ્યારે વ્યાખ્યાન આપી આવું ત્યારે અભિમાન કર્યું કહે છે અને ધ્યાન ધરું છું ત્યારે તેને તરંગરૂપ કહે છે. તે શું, વીતરાગભુ, એમનું કરેલું સ્વીકારે અને મારું ન સ્વીકારે એવા પક્ષપાતવાળા હશે?” ૨૩૦ શ્રી. રાજચંદ્રે શાંતિથી કહ્યું, “ સ્વચ્છંદથી જે જે કરવામાં આવે છે, તે સઘળું અભિમાન જ છે, અસત્સાધન છે; અને સદ્ગુરુની આજ્ઞાથી જે કરવામાં આવે છે, તે કલ્યાણકારી ધર્મરૂપ સત્સાધન છે. "" બીજી વખત પણ તે મુનિઓએ સુરતમાં જ ચાતુર્માસ કર્યો હતા. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરી દશબાર માસથી માંદા રહેતા હતા, તે એ અરસામાં મૃત્યુ પામ્યા. શ્રી લલ્લુજીને પણ તે અરસામાં દશબાર માસથી મંદવાડ રહ્યા કરતા હતા; અને ઘણા ઉપચાર છતાં કંઈ ફાયદા થતા નહિ. એટલે તેમણે પોતાનો દેહ પણ છૂટી જશે એવી ચિંતાથી શ્રી. રાજચંદ્રને પત્ર લખ્યા, “હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમકીત પામ્યા વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે.” તેના ઉત્તરમાં શ્રી. રાજચંદ્ર તેમને ‘છ પદ 'નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે હાલમાં દેહ છૂટવાની બીક રાખવી નહિ. પછી શ્રી. રાજચંદ્ર સુરત પધાર્યા ત્યારે તે ‘છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યા અને તે પત્ર વારંવાર મુખપાઠ કરી વિચારવાની ભલામણ કરી. તે પત્ર એક સ્વતંત્ર પ્રકરણ જેવા, સૂત્રાત્મક શૈલીથી લખાયેલો છે. જૈન ધર્મનાં સાત તત્ત્વામાંથી પ્રથમ તત્ત્વ આત્મા, તેનું ઓળખાણ થવા માટે, આત્મા છે, 'આત્મા નિત્ય છે,’ આત્મા કર્તા છે,' આત્મા ભાક્તા છે,” ‘મેાક્ષ છે,' અને તે ‘મેાક્ષનો ઉપાય છે’– એ છ પદથી તે પત્રમાં અપૂર્વ નિરૂપણ કરેલું છે. તે પત્ર શ્રી. રાજચંદ્ર સાભાગ્યભાઈને પણ " • Jain Education International " For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy