SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા દેવકરણજી બોલ્યા, “કાયાથી નથી થતા, મનથી થાય છે. શ્રી. રાજચંદ્રે કહ્યું, “મુનિએ તો મન, વચન અને કાયા. એ ત્રણે યોગથી સાચવવું જોઈએ. "" ૨૫૮ દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું, “ તમે ગાદીકિયે બેસા છે, અને હીરામાણેક તમારી પાસે પડેલાં હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ ડહોળાતી હોય ? ’’ શ્રી. રાજચંદ્રે કહ્યું, “મુનિ, અમે તા કાળફૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે?” આ સાંભળી દેવકરણજી નિરુત્તાર થઈ ગયા. શ્રી. રાજચંદ્રે પૂછ્યું, “તમે કોણ છે?” દેવકરણજીએ કહ્યું, “ જેટલેા વખત વૃત્તિ સ્થિર રહે છે, તેટલા વખત સાધુ છીએ. ” શ્રી. રાજચંદ્રે કહ્યું, “ તેવી રીતે સંસારીને પણ સાધુ કહેવાય કે નહિ ? ” . શ્રી. દેવકરણજી મૌન રહ્યા. પછી શ્રી રાજચંદ્રે કહ્યું, “ નાળિયેરનો ગાળા જેમ જુદા રહે છે, તેમ અમે રહીએ છીએ. શ્રી લલ્લુજીએ શ્રી. રાજચંદ્રને તેમનો ફોટો આપવા ઘણા આગ્રહ કર્યો પણ શ્રી. રાજચંદ્ર માન્યું નહિ. અંતે તેમને નીચેની ગાથા સ્વહસ્તે લખી આપી: संबुज्झहा जंतवो माणुसत्तं दटुं भयं वालिसेणं अलंभो । एतदुक्खे जरिए व लोए सकम्मुणा विपरियासुत्रेइ ॥ [હે જીવા! તમે જાગેા. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; તથા રોગ, શાક, જરા, મરણ વગેરે ભયાથી તે ચારે બાજુ ઘેરાયેલું છે. અજ્ઞાનમાં રહીને સદ્વિવેક પામવા અશકય છે. આખા લાક કેવળ દુ:ખથી તાપ પામ્યા કરે છે, અને પાતપાતાનાં કર્મા વડે અહીંતહીં ભમ્યા કરે છે.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy