SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર ૩૪ મું સમાધિમાન પ્રકરણ શ્રી. મગનભાઈ દેસાઈએ પ્રેસ માટે તૈયાર કરીને આપ્યું નહોતું – તેમના અવસાન બાદ તેમના કાગળામાંથી મળ્યું હતું. તે જેમનું તેમ આ પુસ્તકમાં સામેલ કરી લીધું છે. ત્યાર પછી તેમનો વિચાર આગળ નીચે પ્રમાણે પ્રકરણા લખવાનો હોય, એમ તેમના અનુક્રમણિકામાં કરેલા ટાંચણ ઉપરથી જણાય છે 66 ‘હવે પછી પ્રકરણ-વિચાર (૮-૧૧-૬૮) ૩૫. આત્મસાગરને વારે 66 ૩૬. “ આત્મસિદ્ધિ ”શાસ્ત્ર ૩૭. નિવૃત્તિની ઉપાસના ૩૮. એકાંત પ્રવાસનાં વર્ષ. ઇંટ ઇ” ~ આમાંથી પ્રકરણ ૩૮ ને પ્રકરણ ૩૫ પછી ૩૬ મા તરીકે લેવું એવી બાણ-નિશાની બાજુમાં કરેલી છે. આ બધાં પ્રકરણેામાં તે આગળ કેવી રીતે વધવા માગતા હતા, તેનું બીજું કશું ટાંચણ મળી શકયું નથી. - શ્રીમદ્ રાજચંદ્રે એકાંત-પ્રવાસમાં છેવટના દિવસેા ગાળ્યા હતા. શ્રી. મગનભાઈ દેસાઈ એ બધાં સ્થળાએ જાતે જઈ આવી એ વિષે ૩૮મું પ્રકરણ લખવા માગતા હતા. તે માટે અમદાવાદના શ્રી. ત્રીકમભાઈ મહાસુખરામને વાત કરતાં તેમણે તે બધાં સ્થળોએ તેમને લઈ જવા પણ તૈયારી બતાવી હતી. પરંતુ છેવટ સુધી તેમ થઈ શકયું નહિ. Jain Education International ૨૪: For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy