SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની શાની રહિત આ વૃત્તિથી જ્ઞાનપ્રાતિ માટે સ્વાધ્યાય સાથે પ્રવચન રૂપ સંકલ્પ પણ ઉદ્ભવેલા જોવા મળે છે. જેમ કે, “જ્ઞાનનો ઉદ્ધાર કર. જદા. જુદા ધર્મોપદેશના ગ્રંથો વહેંચવા. જુદા જુદા ધર્મગ્રંથ યોજવા. મતમતાંતરનું સ્વરૂપ સમજાવવું. જે મનુષ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવા ઇચ્છતા હોય, તેમના વિચારને સહાયક થવું. કોઈ કાળે તત્ત્વ વડે કરી દુનિયામાંથી દુઃખ જશે એમ માનું. અસત્યને ઉપદેશ આપું નહિ. આજીવિકા માટે ધર્મ બધું નહિ. ગુણ વગરનું વકતૃત્વ સેવું નહિ.” કવિના જિજ્ઞાસુ ગૃહસ્થજીવનને ચિતાર ઉપરનાં કેટલાંક તેમનાં અનુભવરૂપ ટાંચણો પરથી મળે છે. હિંદુ આશ્રમવ્યવસ્થામાં ગૃહસ્થજીવન ભેગસ્થાન નથી, પરંતુ વિવેક અને અપ્રમાદથી સતત જાગ્રત રહેતું પુરુષાર્થસ્થાન છે, – એ સમજવા કવિનું દૃષ્ટાંત ઉત્તમ બોધદાયી ગણાય. એમાંથી જ સ્વત: ધર્મપૂત કામ, અર્થ સધાય છે – જીવનની પૂર્ણતાને પરિપાક પેદા થાય છે: આગળના આશ્રમોમાં સહેજે જીવન સંકાન્ત થાય છે. કવિની સાધના એવી તે ઉત્કટ હતી કે, લગ્નજીવન અંગીકાર કર્યા પછી થોડા જ વર્ષોમાં તે આવા ધર્મમય ગૃહસ્થ-જીવનમાંથી સહેજે વાનપ્રસ્થમાં પ્રવેશ કરી શકે છે. - ગૃહસ્થ જીવન વિષેની કવિશ્રીની મીમાંસા,તેમની સાધનાના એક મહત્ત્વના ભાગ તરીકે,– જોવા જેવી છે. લગ્નની જંજાળ સ્વીકારીને ચાલનાર ગૃહસ્થાશ્રમી પુરુષ તેમાંથી આગળ કઈ રીતે વાનપ્રશ્યમાં પ્રવેશ સાધી શકે, તેના બોધરૂપે તેની સૂક્ષ્મ મીમાંસા એમાંથી સાધકો પામી શકશે. બાવીસમા વર્ષમાં “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર’ એ મથાળે કરેલી નેધમાંથી (જુઓ શ્રી. ૧-૨૨૦) આ ઉતારો તેમની ત્યારની મનેદશાને કાંઈક દ્યોતક છે : સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે, તે અદ્ભુત આનંદમય જ છે. માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy