SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિમાગ ૨૩૯ 66 કવિના ૧૭મા વર્ષ પછીના ધર્મોદય-જીવનમાં ચિંતન, મનન, ઈ સતત નિત્યકર્મ રૂપે ચાલતાં, એ સહેજે જોઈ શકાય છે. “વવાણિયા, વૈશાખ સુદ ૧, ૧૯૪૫” રોજના પત્રમાં એક સાથી-ભક્તને તે સલાહ આપે છે: “જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હાય, સૂઈ શકાતું હોય તે પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ, ચળવિચળ દેહ ન થતા હોય, તે આંખો વીંચી જઈ નાભિના ભાગ પર દૃષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત શૂન્યાભાસરૂપ ચિંતવી, પેાતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવા ભાસ લઈ, જે રૂપે પાર્શ્વનાથાદિક અર્હતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે, તેવા ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તે મારું ખભેરખરું (મેં જે રેશમી કોરે રાખ્યું હતું) તે ઓઢી સવારના ચાર વાગ્યે કે પાંચ વાગ્યે જાગૃતિ પામી સેાડ તાણી એકાગ્રતા ચિંતવવી. અર્હત્ સ્વરૂપનું ચિંતવન, બને તેા કરવું, નહિ તે કંઈ પણ નહીં ચિતવતાં સમાધિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા. અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણી થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સ્થિતિ રાખવી. (શ્રી,૧ - ૨૦૮ ) ,, એથી એમ અનુમાન જાય કે, કવિશ્રી પોતે આ પ્રકારનું ધ્યાન કરતા હશે. અને એ અંગે, તેમની નોંધપાથી આ સમયની મળે છે, તેમાં કાંઈક જોઈ શકાય છે. તેમ જ આ સમયનાં તેમનાં પત્રવ્યવહારાદિ જોઈએ તે તેમાં કવિનાં સ્વાધ્યાય-અભ્યાસ ઇ૦ કેવાં ચાલતાં હશે, તેનું પણ અનુમાન મળે છે. “મુંબઈ, જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૪૬ ”ની એક નોંધ (રાજનીશીમાંથી) છે, તેમાં તે કહે છે: – “સવારના છ થી આઠ સુધીના વખત સમાધિયુક્ત ગયો હતા. અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા, મનન કર્યા હતા. "" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy