SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભકતની પ્રતિભા કૃષ્ણભક્તિની આવી ઉન્મની ગોપીભાવ-સ્થિતિ તેમણે મુંબઈથી માહ વદ ૩, ગુરુ, ૧૯૪૭ના લખેલા પત્રમાં વર્ણવી મોકલી હતી; અને તેનાં દર્શન તે શ્રીમદ્ ભાગવત, નારદ ભક્તિસૂત્રમાંથી કરી . ' શકાય, એમ કહે છે. મતલબ કે, કવિના વૈષ્ણવ સંસ્કારમાં પડેલી આ કાવ્ય-રૂપક પ્રેમ-ભક્તિ પણ આ તેમના આત્મોદય-કાળે પ્રગટેલી જેવા મળે છે. બીજી બાજુથી એ પણ જણાય છે કે, પ્રચલિત હવેલી-ધર્મની વૈષ્ણવ ભક્તિ વિશેનાં ભયસ્થાન પણ તેમના ખ્યાલમાં હશે; છતાં તે સ્થાનો તેના રૂઢ લોકાચારના વિભાવમાંથી પેદા થતાં હતાં, તેનો સૂક્ષ્મ સત્ય ભાવ તેમની પાર રહેલો છે, એ કવિને ખબર છે, જેથી તે ઉપરના પત્રમાં ભાગવતધર્મનો સાચો મર્મ બરબર, બતાવે છે. હરિભક્તિનું રસાયણ દુ:ખમાં ફસાયેલા મનુષ્ય-જીવાત્માને માટે કેવું પ્રભાવક છે, તે આ સમયે લખેલા એક પત્રમાં તેમણે (મુંબઈ, જેઠ સુદ ૧૫, રવિ, ૧૯૪૭) આમ જણાવ્યું છે: “વ્યવહારચિંતાથી અકળામણ આવતાં, સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી, એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. તથાપિ વ્યવહારચિંતાનું અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિઇચ્છા બળવાન છે એ દૃઢ કરાવવા માટે, હરિએ આમ કર્યું છે, એમ આપે નિ:શંકપણે સમજવું; માટે જે થાય તે જોવું.... અકળામણ રાખશો નહીં. અમે, તે એ માર્ગથી તર્યા છીએ.” (શ્રી ૧ - ૩૨૨) બીજો એક પત્ર (મુંબઈ, માહ સુદ, ૧૯૪૭) છે તેમાં કહે છે: પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય, તોપણ કરવો યોગ્ય જ છે. સરળ વાટ મળ્યા છતાં, ઉપાધિના કારણથી, તન્મય ભકિત રહેતી નથી, અને એકતાર સ્નેહ ઊભરાતો નથી. આથી, ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઇચ્છા થયા કરે છે. જોકે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy