SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ, જગત, અને તેનું અધિષ્ઠાન ૧૮૩ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ના એક પત્રમાં પોતાની પ્રભુમય દશા વિષે મિત્ર શ્રી. સભાગભાઈને કહે છે – “ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે, જેથી વ્યવહારનાં બધાં કાર્ય, ઘણું કરીને, અવ્યવસ્થાથી કરીએ છીએ. હરિઇચ્છા સુખદાયક માનીએ છીએ. એટલે જે ઉપાધિ-જોગ વર્તે છે, તેને પણ સમાધિ-જોગ માનીએ છીએ. ચિત્તની અવ્યવસ્થાને લીધે મુહૂર્તમાત્રમાં કરી શકાય એવું કાર્ય વિચારતાં પણ પખવાડિયું વ્યતીત કરી નખાય છે, અને વખતે તે કર્યા વિના જ જવા દેવાનું થાય છે. બધા પ્રસંગમાં તેમ થાય તો પણ હાનિ માની નથી..... એવી ચિત્તની દશા નિરંકુશ થઈ રહી છે, અને તે નિરંકુશતા પ્રાપ્ત થવામાં હરિને પરમ અનુગ્રહ કારણ છે, એમ માનીએ છીએ. એ જ નિરંકુશતાને પૂર્ણતા આપ્યા સિવાય ચિત્ત. યથોચિત સમાધિયુક્ત નહિ થાય, એમ લાગે છે; અત્યારે તે બધુંય. ગમતું નથી, એવી સ્થિતિ છે. જ્યારે બધુંય ગમશે ત્યારે નિરંકુશતાની પૂર્ણતા થશે. એ પૂર્ણકામતા પણ કહેવાય છે, જ્યાં હરિ જ સર્વત્ર. ભાસે છે, પણ સ્પષ્ટ છે એવો અનુભવ છે. જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે. અને એનું પરિણામ એમ આવશે. કે, જ્યાં જેને રૂપે ઇચ્છીએ તેવે રૂપે હરિ આવશે, એવો ભવિષ્ય કાળ ઈશ્વરેચ્છાને લીધે લખ્યો છે.........” (શ્રી ૧-૩૨૦) વિશ્વરૂપદર્શન કરાવતાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે (ગીતા અ૦ ૧૧-૭) – અહંકસ્થ જગત્ કૃત્રને પશ્ચાદ્ય સચરાચરમ્ | મમ દેહે ગુડાકેશ યત ચાન્ય દ્રષ્ટ્રમ ઇચ્છસિ | એના ભાવને મળતી ઉપર પ્રમાણે પોતાની (“વાસુદેવ: સર્વમ ઇતિ” - અનુભવવાની) દર્શન-ભૂખ નિરૂપીને શ્રીમદ્ એ જ પત્રમાં અફસ કરે છે કે: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy