SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા નિગ્રંથ પ્રભુ મહાવીર પ્રત્યે જ નહિ, પરંતુ ગીતા અને ભાગવત વ્યક્ત રૂપે પરમાત્માને ભજવાની વસ્તુ નિરૂપે છે, તેને પણ શ્રીમદે અંગીકાર કર્યો છે. અને આ એટલે સુધી કે, એક તેમના પત્રમાં જૈન તત્વ અને શ્રદ્ધા-દર્શનમાં આ પ્રકારનો સ્વીકાર નથી, તેની તેમણે (ઉપર જોયું તેમ,) “સખત શબ્દો”માં આલોચના કરી છે. જે. અને વૈષ્ણવ મતમાં આ ફેર વિશે કેટલુંક અગાઉ આપણે એક પ્રકરણમાં જોયું છે. તેમાં વિશદતાને ઉમેરો કરતું આ નિરૂપણ શ્રીમદ્ભાં આ (૨૪મા વર્ષના) સમયનાં લખાણોમાં અનેક વાર અને વિવિધ રૂપમાં મળે છે. દાવત, “અધિષ્ઠાન” વિષે ચર્ચાને પત્ર લખતાં શરૂમાં અધિષ્ઠાન'ની ભાવના વિષે તત્ત્વ-દૃષ્ટિ શી છે, તે પણ તેમણે લખી છે – “સ’ સત્ છે, સરળ છે, સુગમ છે; તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત્ છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. “ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક “સ” જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાન જણાતું નહોતું, તે દેખાય છે અને ક્ષણમાં ઘણાં દીર્ધ વિસ્તારવાળાં રૂપ લય - ૧. તે પત્ર “જૈન પ્રતિમાપૂજા અને ઈશ્વર-ગુરુ-ભાવ' પ્રકરણમાં (પા. ૧૭૧ - ૩ ઉપર) છે, ત્યાં જુઓ. - ૨. સરખાવે. ગીતા, અ૦૨-૧૬, ૧૭ ઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy