SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પ્રતિમાને ઈશ્વર-ગુરુ-ભાવ ૧ કેટલાંક પ્રમાણે આગમના સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઇત્યાદિકની અવશ્ય છે. કુતર્કથી, જે તમે કહેતા હો તે, આખા જૈન દર્શીનનું પણ ખંડન કરી દર્શાવું પણ તેમાં કલ્યાણ નથી. સત્યવતુ. જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ, ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ મૂકી દે છે....” (શ્રી ૧- ૧૯૫). મતલબ કે, ઉપારાના કે ભક્તિભાવને કવિશ્રી અનુભવે જાણે છે કે, સાધના માટે તે ઉપકારક છે. તેથી જ તે વૈષ્ણવોચિત ઈશ્વરશ્રદ્ધા સુધીની વૃત્તિ કેળવે છે. અરે, જૈન દર્શનમાં આ ભાવવૃત્તિનું સમર્થન નથી, તેથી તેનું ખંડન કરવા સુધીની તર્કશક્તિ દોડાવી શકે છે: દાવત, જેમ કે, “સર્વાત્મા હરિને નમસ્કાર” મથાળે (મુંબઈ, ફાગણ સુદ ૧૩, સોમ, ૧૯૪૭) શ્રી. સોભાગચંદને લખેલા પત્રમાં એવું જોવા મળે છે કે – “.... જેનની બાહ્ય શૈલી જોતાં તે અમે તીર્થકરને સંપૂર્ણ જ્ઞાન હોય એમ કહેતાં ભ્રાંતિમાં પડીએ છીએ. આને અર્થ એવો છે કે, જૈનની અંતર્શેલી બીજી જોઈએ. કારણ કે, “અધિષ્ઠાન’ વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તે એમ લાગે છે કે, તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે. અને લોકો સર્વ કાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ છે, પણ.... જૈનની કથની ઘસાઈ જેઈ, અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિ રૂ૫ ખરાબે તે વહાણ ચઢયું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. “તીર્થંકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે અધિષ્ઠાન વગર આ જગત વર્ણવ્યું છે તેનું શું કારણ? શું તેને “અધિષ્ઠાન'નું જ્ઞાન નહીં થયું હોય? અથવા અધિષ્ઠાન” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy