SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્દગુરુશરણની ભાવના મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોને વારંવાર વિચાર કરવો યોગ્ય છે. . - “..... જે પુરુષ બીજા બધા પ્રકારને વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહિ જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.” - કવિની આ અનુભવવાણી પોતાની સત્સંગ-સદ્ગુરુની ઊંડી ભૂખની તેમની તીવ્ર ખોજમાંથી ઝરી છે. ભક્તિનું તત્વ જ આ છે – ભગવાન ઈશુનું વાકય છે: “નૉક ઍન્ડ ઇટ વિલ બી ઓપન્ડ અ યુ’– ઈશનું બારણું ઠોકો, તો તે ઊઘડશે જ; ખોળો તે તે જડશે જ; કેમ કે, વસ્તુ પાસે જ પડી છે, તેનું ઢાંકણ જાતે દૂર કરવાપણું રહે છે. એ ઢાંકણ જ મોહક સુવર્ણમય છે; અને તેથી જ જીવો સરખા પ્રકારે પ્રયત્નવાન નથી હોતા – જેવો કામ-મોહ તેવી તેની ગુરુ-તત્ત્વ-ગતિ થાય છે. અને એ બતાવવા કવિ ઉપરના પત્રમાં આગળ તેનું નિરૂપણ કરે છે, તેથી જગતને તે કેવી નજરે જુએ છે, તે પણ બતાવે છે : “દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે: ' “(૧) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણને વિચાર નથી કરી શકયો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે, . “(૨) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. (૩) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ સ્વરૂપને - સાક્ષી છે એવો બોધસ્વરૂપ જીવ માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે; . એવા જીવોને ત્રીજો પ્રકાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy