SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જ્ઞાની ભક્તની પ્રતિભા એણે સર્વોત્તમ દર્શાવ્યું છે. તે માટે આપની અનુકૂળતા હશે, તે આગળ ઉપર જણાવીશ. “અહીં એક આ પણ વિજ્ઞાપના આપને કરવી યોગ્ય છે કે, મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી, પણ આત્મત્વ પામવા માટે જે બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત (!), દૃષ્ટિરાગ, પ્રશસ્ત રાગ, કે માન્યતા છે. અને તેને આધારે વના છે; તે આત્મત્વને બાધા કરતું એવું કાંઈ પણ મારું કથન હોય, તે દર્શાવી ઉપકાર કરતા રહેશો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદૃષ્ટાનુસાર મળ્યા કરશે, ત્યાં સુધી પણ મારા ભાગ્યને ઉદય જ છે.” (શ્રી.૧- ૨૧૩-૪) શ્રી. ત્રિપાઠીએ લખેલા જવાબો સંઘરાયેલા મળતા નથી, પણ તેમણે બુદ્ધ ભગવાનનું જીવનચરિત્ર વાંચવાને મોકલવાનું લખ્યું લાગે છે; તેથી “બજાણા, કાઠિયાવાડ, અષાડ સુદ ૧૫, શુક્ર ૧૯૪૫”ના પત્રમાં કવિ તેમને લખે છે કે, “બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે; એ જાણે નિષ્પક્ષપાતી કથન છે.” અને પોતે સાધક તરીકે જે નક્કી સમજે છે, તે વસ્તુનો ઉલ્લેખ કરીને કહે છે – સર્વ દર્શન પરિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિ:સંશય છે; પણ યથાદૃષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. જે થવા માટે પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદપંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાનયોગ, જે સાધનો, તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવાં જોઈએ.” (શ્રી ૧- ૨૧૭) આ પછીનો પત્ર કવિ, “ભરૂચ, શ્રાવણ સુદ ૩, બુધ, ૧૯૪૫ સેજ લખે છે તેમાં કહે છે – આ “હું મારી નિવાસભૂમિકી આશરે બે માસ થયાં સોગ, સત્સંગ પ્રવર્ધનાર્થે પ્રવાસ રૂપે કેટલાંક રથમાં વિહાર કરું છું. ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy