SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ અને ઉદાસીનતા ૧૧૫ “દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહને જોનાર જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તે પછી એ ભિન્ન દેહનાં તેનાં સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ, હર્ષ-શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિરધાર કરવો-રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગને મુખ્ય ધ્વનિ છે.” વિ૦ સં. ૧૯૪૫માં (અંગત) બતાવીને લખેલા કવિતામાં તેમણે લખ્યું છે કે, “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા.” – “અધ્યાત્મની જનની તે ઉદાસીનતા.” તે જ ભાવદર્શક કડીઓ (મુંબઈ, ફાગણ વદ ૧, ૧૯૪૬) લખી છે: “જહાં રાગ અને વળી દ્રષિ, તહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” | (શ્રી.૧-૨૩૮) આ સમયે શ્રીમદ્ આ ભાવના પ્રબળપણે કેળવે છે : તે અર્થે અનુકૂળ સત્સંગ અને સદ્ગુરુ ઝંખે છે. આ કાળનાં તેમની આવી દુઃખોઢેગ ભરેલી “આરતને વ્યક્ત કરતાં લખાણમાંથી થોડુંક લાક્ષણિક લાગે એવું વધુ કેટલુંક પણ જોવા જેવું છે; જેમ કે, તેમના ૨૩મા વર્ષનાં ૫ત્રાદિ લખાણોમાં અંતે સંઘરાયેલી સ્વગત ભાવોક્તિઓ જેવું ટાંચણ એક મળે છે (શ્રી.૧પા. ૨૭૧થી ૨૭૪), તેમાં (આત્મા અને જીવ વચ્ચેના સંવાદની શૈલીમાં લાગતું) લખ્યું છે:1. “હે સહજત્મસ્વરૂપી, તમે ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મૂંઝાયા છો? તે કહે. આવી વિભ્રમ અને દિમૂઢ દશા શી? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy