SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જ્ઞાની ભકતની પ્રતિભા મતભેદ રાખી કોઈ મેક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મત- ભેદને ટાળ્યો, તે અંતત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.” કેવી દૃઢ ભાષા – દઢ વાણી! છતાં છેવટે એ નોંધમાં વાકય છે:- “કોઈ પણ અવ્યવસ્થિત ભાવે અક્ષર-લેખ થયો હોય તો તે -ક્ષમા થાઓ. એ પ્રયાસના સમેત અટકું છું.” ' કવિ-જીવનની ૨૨ વર્ષ સુધીની “સમુચ્ચયચર્યાનો નિચોડ આ તેમની નોંધ ટૂંકમાં આપી દે છે. અનાત્મમાંથી આત્મ-શ્રદ્ધામાં હનુમાનકૂદકો આ કાળે તે મારી ચૂકે છે: શાસ્ત્રપ્રામાણ્યને પાર કરીને – યોગસૂત્રકાર કહે છે એમ, – “શ્રદ્ધાવીર્યસ્મૃતિને “સમ્યકોગ” પોતે, પોતાના અંતરમાંથી સંશોધન કરી લે છે. કઠોપનિષદ આ માનસપરિવર્તનને જ ટૂંકમાં કહે છે – “શ્રદ્ધામાવિવેશ.” – શ્રદ્ધાને આવેશ જીવનમાં પ્રવેશ્યો. કવિ આ સમયે આ પ્રકારનો “શ્રદ્ધામાં પ્રવેશ” પામે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy