SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૦ ) ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પિતાનું માની બેઠે છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્ય તાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા ગ્ય છે. તે ભૂલ શાથી થઈ છે? તે વિચારતાં, રાગ દ્વેષને અજ્ઞાનથી. ત્યારે તે રાગાદિને કાઢવા. તે શાથી નીકળે? જ્ઞાનથી. તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય? પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી. તે જે પ્રત્યક્ષ સગુરુની હાજરી હોય તો શું કરવું? ત્યાં તેમની આજ્ઞાનુસાર વર્તન કરવું. પરમ કરૂણાશીલ, જેના દરેક પરમાણુમાં દયાનો ઝરો વહેતે રહે છે એવા નિષ્કારણ દયાળુને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર કરીને આત્મા સાથે સંયોગમાં પામેલા પદાર્થને વિચાર કરતાં છતાં અનાદિકાળથી દેહાત્મબુદ્ધિના અભ્યાસથી જેમ જોઈએ તેમ સમજાતું નથી, તથાપિ કોઈ પણ અંશે દેહથી આત્મા ભિન્ન છે એવા અનિર્ધારિત નિર્ણય ઉપર આવી શકાય છે. અને તે માટે વારંવાર ગવેષણ કરવામાં આવે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy