SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ ૧૬૪ બેઠેલો હોય, ઊભો હોય, લાંબા પડખે પડેલો હોય, ગૌરવર્ણવાળો હોય, શ્યામવર્ણવાળો હોય, ગાતો હોય, હસતો હોય, રડતો હોય... આવી દાયક આપે તો જ ગ્રહણ કરવું. ઇત્યાદિ. આ રીત સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ અનુસા૨ દ૨૨ોજ વૃત્તિસંક્ષેપ કરવો જોઇએ. ૪ અભિગ્રહો જુઓ ૪ વૃત્તિસંક્ષેપ. ૪ અસંવર અસંવર એટલે સંવરનો અભાવ. સંવરનો અભાવ એટલે આસ્રવ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગો એમ ચાર અસંવર (=આસવો) છે. ૪ દુઃખશય્યા ચાર દુઃખશય્યાઓ, તે દ્રવ્યથી કોઇ દૂષિત ખાટલો (સંથારો) વગેરે અને ભાવથી દુઃખશય્યા એટલે દુષ્ટચિત્તજન્ય કુસાધુતાનો અધ્યવસાય. આ ચાર પ્રકારો (ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છે. ૧. પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા. ૨. બીજા પાસેથી (પૌદ્ગલિક) ધનઆહારાદિ મેળવવાની ઇચ્છા-પ્રાર્થના. ૩. દેવ-મનુષ્ય સંબંધી કામ (ભોગો)ની આશંસા (મેળવવાની-ભોગવવાની ઇચ્છા) અને ૪. સ્નાનાદિ કરવારૂપ શરીરસુખની (ગૃહસ્થપણાનાં સુખોની) ઇચ્છા આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખનો અનુભવ થાય છે, માટે તેને દુઃખશય્યાઓ કહી છે. ૪ સુખશય્યા દુ:ખશય્યાથી વિપરીત સુખશય્યાઓ જાણવી. ૪ નિક્ષેપા દરેક વસ્તુ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સ્વરૂપે અવશ્ય હોય છે. માટે દરેક વસ્તુના નામ વગેરે ચાર નિક્ષેપા અવશ્ય હોય. ૧. નામનિક્ષેપ– વસ્તુનું નામ તે નામનિક્ષેપ. જો વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જોવાથી તે વસ્તુની ઇચ્છા For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy