SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ અધિકાર ગાથાર્થ ૭. ચારમુખવાળા ચાર રૂપ, ૮. મણિ-સુવર્ણ-ચાંદીથી બનાવેલા ત્રણ ગઢ, ૯. નવ સુવર્ણ કમલ અને ૧૦. કાંટા અધોમુખ થાય છે. ૨૯ વિશેષાર્થ— ચારમુખવાળા ચાર રૂપ– પ્રભુ સમવસરણમાં સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે ત્યારે દક્ષિણ-પશ્ચિમ-ઉત્ત૨ એમ ત્રણ દિશાઓમાં પણ તેવો આચાર હોવાથી જ વ્યંતરદેવો સ્વામીના પ્રતિબિંબોની રચના કરે છે. ત્રણ ગઢ– પ્રથમ (=અંદરનો) ગઢ વૈમાનિક દેવો મણિનો બનાવે છે. બીજો (=વચલો) ગઢ જ્યોતિષ્ક દેવો સુવર્ણનો બનાવે છે. ત્રીજો (=બહારનો) ગઢ ભવનપતિ દેવો ચાંદીનો બનાવે છે. એ ત્રણ કિલ્લાઓની કાંગરી અનુક્રમે મણિ-રત્ન-સુવર્ણની હોય છે. સુવર્ણકમળ— નવ કમળો સુવર્ણના હોવા છતાં માખણ જેવા કોમળ હોય છે. બે કમળો ઉપર ભગવાન પગ મૂકીને ચાલે છે અને પાછળ રહેલા સાત કમળોમાંથી બે કમળ ક્રમશઃ આગળ આવ્યા કરે છે. કાંટા અધોમુખ થાય છે— કાંટાઓનો અણીદાર ભાગ નીચે થાય છે. (૨૮) निच्चमवंट्ठियमित्ता, पहुणो चिट्ठेति केसरोमनहा २६ । इंदियअत्था पंचवि, मणोरमा हुति तत्थ उऊ २८ ॥ २९ ॥ नित्यमवस्थितमात्राः प्रभोर्तिष्ठन्ति केश - रोम - नखाः । ફન્દ્રિયાળું: પદ્યાપિ મનોરમા મત્તિ તત્ર કૃતવઃ ।। ।।.............. ગાથાર્થ— ૧૧. પ્રભુના કેશ, રોમ અને નખ સદા અવસ્થિત રહે છે. ૧૨. ઇંદ્રિયોના પાંચેય વિષયો અનુકૂળ રહે છે. ૧૩. ઋતુઓ અનુકૂળ રહે છે. વિશેષાર્થ- મસ્તક-દાઢી-મૂછના વાળ, શરીરના રોમ અને હાથપગની આંગળીઓના નખો અવસ્થિત રહે છે, એટલે કે વધતા નથી. પ્રભુ દીક્ષા લે ત્યારે ઇંદ્ર વજ્ર દ્વારા વાળ વગેરે ઉગવાની (=વધવાની) શક્તિ નષ્ટ કરી દે છે. તેથી કેશ વગેરે ઉગતા (=વધતા) નથી. પ્રભુ જયાં વિહાર કરે છે ત્યાં વાંસળી વગેરેનો મધુર ધ્વનિ, જય પામો, દીર્ઘકાળ સુધી જીવો, આનંદ પામો વગેરે સુખ આપનારા જ શબ્દો સંભળાય છે. ગધેડા વગેરેનો અવાજ અને કરુણ આક્રંદન વગેરે અશુભ શબ્દો For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy