SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સંબોધ પ્રકરણ આમ, પહેલી નજરે જોતાં એમ જણાય છે કે ભાવ વિના પણ ધર્મ, લાભદાયી બને છે. આમ છતાં ભાવની પ્રધાનતા એટલા માટે છે કે પરંપરાએ પણ ભાવ આવે તો જ, ભાવ વિના કરેલ ધર્મ લાભદાયી બને છે. પરંપરાએ પણ (મોક્ષનો) ભાવ ન આવે તો ભાવ વિના કરેલ ધર્મ પરમાર્થથી લાભદાયી બનતો નથી. જૈનદર્શનને વ્યવહાર દ્રવ્ય ધર્મક્રિયા) પણ માન્ય છે. પણ કયો વ્યવહાર માન્ય છે એ સમજવું જોઈએ. જે વ્યવહાર નિશ્ચયનું (=ભાવ ધર્મક્રિયાનું) કારણ બને તે વ્યવહાર માન્ય છે. જે વ્યવહાર નિશ્ચયનું કારણ ન બને તે વ્યવહાર જૈનદર્શનને માન્ય નથી. પ્રશ્ન-ભૌતિક સુખ માટે પણ ધર્મ થાય એવા શાસ્ત્રપાઠો આવે છે તેનું શું? ઉત્તર– તે પાઠો તેવા મુગ્ધ જીવોને ધર્મ તરફ વાળવાના હેતુથી છે. પણ તે અપવાદ ગણાય. આથી જાહેરમાં તેનો પ્રચાર કરવો યોગ્ય ન ગણાય. જાહેરમાં અપવાદ જણાવવાનો પ્રસંગ આવે તો ઉત્સર્ગ જણાવવાપૂર્વક જ અપવાદ જણાવાય એ જ હિતાવહ છે. વળી એ નિરૂપણ પણ એ રીતે થવું જોઇએ કે જેથી શ્રોતાની ભૌતિક સુખની આશંસા વધે નહિ, બલ્ક ઘટે. કોઈ પૂછે કે સાહેબ! ભૌતિક સુખ માટે ધર્મ થાય કે નહિ? તો ભૌતિક સુખ માટે ધર્મ ન થાય એમ ઉત્સર્ગ જણાવીને મુગ્ધ જીવો ભૌતિક સુખ માટે ધર્મ કરે છતાં સમય જતાં મોક્ષ સુખ માટે ધર્મ કરનારા બને ઈત્યાદિ પંચાશક ગ્રંથની વિગત જણાવવી જોઇએ. સમજી શકે તેવા લોકોમાં શ્રેષ્ઠ– આ વિશેષણ દેવ-ગુરુ-ધર્મરૂપ તત્ત્વોના ભેદોનું છે. જે લોકો દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે તેવા હોય તેવા લોકો માટે દેવ-ગુરુ-ધર્મ શ્રેષ્ઠ છે પણ દેવ-ગુરુ-ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજી શકે નહિ તેવા લોકોને દેવ-ગુરુ-ધર્મનું મહત્ત્વ ન હોય. આથી તેવા લોકો ગમે તેવા દેવને દેવ તરીકે માને, ગમે તેવા ગુરુને ગુરુ તરીકે માને, ગમે તેવા ધર્મને ધર્મ તરીકે માને. દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપને સમજી શકે તેવા લોકો દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપને બરોબર જાણીને શુદ્ધ દેવને જ દેવ તરીકે, શુદ્ધ ગુરુને ગુરુ તરીકે, શુદ્ધ ધર્મને જ ધર્મ તરીકે સ્વીકારે, માટે અહીં “સમજી શકે તેવા લોકોમાં શ્રેષ્ઠ” એમ કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy