SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– ચામર વગેરે જે ભક્તિનાં સાધનો શાસ્ત્રમાં કહ્યાં છે તે બધાં દેવો ચાંદી-સુવર્ણ વગેરેના મેળવીને (ત્રવિકુર્તીને) ભક્તિ કરે છે. હમણાં તેનો અભાવ હોવાથી વાળમાંથી બનાવેલાં ચામર (વગેરે) વાપરવામાં આવે છે. (૧૩૮) णो थीपुरिसविवज्जासवत्थं कुज्जा न थिबुगपरिमाणं। दंसणायारविसोहिए कायव्वो मुहपुडोट्ठपुडो ॥ १३९॥ न स्त्रीपुरुषविपर्यासवस्त्रं कुर्यान्न स्तिबुकपरिमाणम्। ... ર્શનારાવિશુક્રયા કર્તવ્યો મુલાયેગણપુર I ૬૩૬ II . ૨૧ ગાથાર્થ– પૂજામાં સ્ત્રીનું વસ્ત્ર પુરુષ અને પુરુષનું વસ્ત્ર સ્ત્રીએ ન પહેરવું, સૂકું વસ્ત્ર ન પહેરવું, દર્શનાચારની વિશુદ્ધિ માટે આઠ પડવાળો મુખકોશ બાંધવો. (૧૩૯) ક્ષેત્રશુદ્ધિ निस्सल्लं विहिनिम्मिय-भूपीठमणज्जसंगमावज्ज । निस्संकियाइदोसेहिं रहियं खेत्तं पवित्तं च ॥१४०॥ निःशल्यं विधिनिर्मित भूपीठमनार्यसङ्गमावर्जम् । નિશ્રાતિ િરહિત ક્ષેત્રે પવિત્ર 9 II ૨૪૦ || .... ૨૪૦ ગાથાર્થ– ક્ષેત્ર શલ્યથી રહિત, વિધિથી નિર્મિત પૃથ્વીતળવાળું, અનાર્ય માણસોના સંગથી રહિત, નિશ્રાથી અંકિત આદિ દોષોથી રહિત અને પવિત્ર હોવું જોઇએ. વિશેષાર્થ– શલ્યથી રહિત– જ્યાં જિનમંદિર બંધાવવાનું હોય તે ભૂમિ હાડકાં વગેરે શલ્યોથી રહિત હોવી જોઈએ. નિશ્રાથી અંકિત– મૂળ શ્લોકમાં ાિરંજિયાફ પદનો પ્રસિદ્ધ અર્થ શંકાનો અભાવ એવો છે. પણ તે અર્થ અહીં ઘટી શકે નહિ. કેમ કે શંકાનો અભાવ ગુણ છે, દોષ નથી. આથી અહીં નિશ્રા+મતિ એમ સંસ્કૃત છાયા કરી છે. અંકિત એટલે છાપવાળું. બીજાની નિશ્રાના છાપવાળું, અર્થાત્ બીજાની માલિકીનું. બીજાની માલિકીવાળા ક્ષેત્રમાં જિનમંદિર બંધાવવું એ દોષ છે. (૧૪૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005624
Book TitleSambodh Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy