SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ...... - સુણજો રે ભાઈ સાદ અબજો માછલાંની હત્યાથી અભડાવી દેનાર સરકારોની નીતિ-હિંદુ પ્રજાના ધર્મોની રક્ષા કરવાની વાત કરનાર-ભાજપની સરકાર આવ્યા પછી તો બદલાવી જોઈએ તેને બદલે ભાજપની સરકાર જ છાપામાં મોટી મોટી જાહેરાતો આપી મચ્છીમારીનું શિક્ષણ (!) આપવા ફરારીઝ કૉલેજ સ્થાપવાની વાતો કરે તો પછી તેમની હિંદુત્વ રક્ષાની વાતો માત્ર મત મેળવવા માટે જ છે એમ સમજવું કે પછી હિંદુત્વની સાચી રક્ષા શામાં છે તેની તેમને ખબર જ નથી એમ માનવું ? સ્કૂલ અને કૉલેજનાં મકાનો માટે મોટાં મોટાં , દાન આપતા દાનવીરો તથા આપણાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું હોવા બાબત રોદણાં રડતા સમાજસેવકોમાંથી કોઈ જઈને મંત્રીશ્રીને કહેશે કે શિક્ષણ તો જીવાડવાનું હોય, મારવાનું નહિ. ગ્રામોદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને. સાચું પ્રોત્સાહન આપી માછીમારોને પણ નિર્દોષ ધંધાઓમાં વાળવા જોઈએ તેને બદલે ફિશરીઝ કોલેજ દ્વારા લોકોને વધુ માછલાં મારવાનું શિક્ષણ આપીને તમે શિક્ષણ શબ્દનું અવમૂલ્યન નથી કરી રહ્યા? હજી હમણાં જેમના જન્મની નવમી શતાબ્દીની ઉજવણી આપણે કરી તે કલિકોલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી અને મહારાજા કુમારપાળની ગુરુશિષ્યની જોડીએ જે ગુજરાતમાં અહિંસાની એવી આહલેક જગાવેલી કે જેની સુવાસ આજે નવસો-નવસો વર્ષનાં વહાણાં વાયાં પછીચણ શમી નથી. તે ગુજરાતમાં મચ્છીમારી, મરઘામારણ અને કતલખાનાંઓ દ્વારા હિંસાનું તાંડવ ફેલાવીને સરકાર હેમચંદ્રાચાર્યજીના એ ગુજરાતને બીજા પંજાબમાં ફેરવવા માગે છે ? ગુજરાતના મહાજન અને જીવયાપ્રેમી પ્રજામાં કૌવત હોય તો તેમણે ફિરારીઝ કૉલેજથી માંડીને સરદાર સરોવરમાં મચ્છીમારી અને ૪૨ કરોડ માછલાંનાં બીજ પેદા કરવા જેવાં તુક્કાઓ તાત્કાલિક રદ કરવાનું અથવા-આપણા લોહીપસીનાના કરવેરાઓનો આવો જ ઉપયોગ થવાનો હોય તો-સદંતર કર બહિષ્કારનું અલ્ટિમેટમ આપી દેવાની વેળા આવી ચૂકી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005619
Book TitleSunjo re Bhai Sad
Original Sutra AuthorN/A
AuthorHitruchivijay
PublisherViniyog Parivar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy