SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવે વેચાય, દશ રૂપિયે કિલોના ભાવે વેચાય, અને રેશનની ખાંડ. એ જ સમયે બે રૂપિયા પંચાશી પૈસે કિલો વેચાતી હોય! . વિચાર કરે, કેટલા અબજ રૂપિયા દર મહિને પ્રજાના લું. લેવાતા હશે, આ ભાવેની હેરફેર દ્વારા જ? શું તૈમુર અને નાદિરશાહની લૂંટ આ લૂંટ સામે અતિ વામણી નથી લાગતી? તૈમુર, નાદિરશાહ, ગઝની અને ઘેરીઓની લૂંટ તે પાંચ-સાત દિવસ પૂરતી જ હતી, રાજધાનીનાં શહેરો પૂરતી જ હતી, આ તે દરેક બારેમાસ. લૂંટાય છે, સામે જઈને લૂંટાઈ આવે છે. લૂંટાઈ આવીને રાજી થાય. છે કે હાશ! ખાંડ મળી. " વનસ્પતિ ઉદ્યોગે તે લાખે પશુઓને કતલખાને ધકેલવાં. ખાદ્યતેલ ઉદ્યોગ અને વનસ્પતિ ઉદ્યોગ એ કદાચ સહુથી વધારે અમાનુષી દાખલા છે. શુદ્ધ ઘીનું ઉત્પાદન એ ભારતને સહુથી મે ગૃહઉદ્યોગ હતે. આ ઉદ્યોગ માટે ગાય દ્વારા શુદ્ધ ઘી, ઉપરાંત દેશની ખેતી માટે બળદ, ખાતર અને બળતણના પુરવઠામાં પણ પિતાને ફાળે આપો - કેટલીક ચીજો એવી હોય છે, જેના વિના લેકે ચલાવી શકે. જે જીવવા માટે જરૂરી ન હોય, માત્ર વધુ સગવડ માટે કે મેજશખ. માટે જ વપરાતી હોય. આવી અનેક ચીજો છે પણ પ્રજાને ઘણે. મેટે ભાગ તેના વિના ચલાવતે હોય. એટલે એ ચીજના ઉત્પાદનનાં સાધને કબજે રાખવાથી કે ઉત્પાદન કબજે રાખવાથી શોષણનું ક્ષેત્ર મર્યાદિત રહે છે. દા. ત. ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ તે ભારતના ૩ થી ૪ કરોડ માણસે વાપરતા હશે, બાકીના ૬૫ કરેડ માણસનું શોષણ થઈ શકે નહિ. રેડિયે, ટ્રાન્ઝીસ્ટર, ટી. વી., ઘડિયાળ, ફ્રીજ વગેરે એવી અનેક ચીજો છે જે વાપરનારે વર્ગ મર્યાદિત છે. ઉપરાંત ઘડિયાળ, ફ્રજ, રેડિયે વગેરે અમુક સમય સુધી બદલવાં પડતાં નથી. જે આ ચીને જલદી ન બગડી જાય છે, તેનાં ઉત્પાદક-કારખાનાં કેમ ચાલે? અગાઉ ઘડિયાળ આવતી તે પચાસ વરસ સુધી ચાલતી. પરિણામે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy