SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ સિનેમાનાં ગાયનના ડિ અને રેકર્ડોમાંથી રેલાતા સૂરએ અને અર્ધનગ્ન પોશાકેએ મનની શુદ્ધિ બગાડી છે. પશુઓની ચરબીવાળાં સાબુ અને વસ્ત્રોથી શરીરે અશુદ્ધ બન્યાં છે. અને ઈંડાં, ચરબી, માછલીના લેટ મેળવેલા રાકેએ શરીર અને મન બંને અપવિત્ર બનાવ્યાં છે. હવન-ડેમમાં વાપરવાના પદાર્થો અપવિત્ર તે બન્યા છે, પણ ઘી જેવા પદાર્થો તે તેલનું ઘીમાં રૂપાંતર પામેલા હોય છે. અથવા પશુઓની ચરબી જ ઘીના નામે વેચાય છે. એટલે આવાં દ્રવ્ય વડે યજ્ઞ કરવાથી પુણ્ય મળતું નથી, પણ પાપ ચક્કસ બંધાય છે. સદાવ્રત અને અન્નક્ષેત્રે અનાજની તંગી અને સ્ટેશનની બેહૂદી નીતિથી બંધ પડ્યાં છે. નવા કૂવા અને તળાવે ખેદવાથી કાંઈ અર્થ સરત નથી. કારણ કે બેટી અને અવહેવારુ પાણીની જનાઓએ પાણીને જમીનથી હજાર ફૂટ સુધી નીચે ધકેલી દીધું છે. એટલે હવે લેકે માટે મોટાં દાન કરવા અને દાનેશરીની નામના મેળવવા માટે બે ક્ષેત્રે રહ્યાં છે, કેલેજો અને હોસ્પિટલે. કતલખાનેથી જીવ છોડાવવાનું કામ ધીમે ધીમે સંકડાતું જાય છે. કારણ કે કતલ વાજબી છે, દેશના હિતમાં છે એવી માન્યતા લેકેમાં દઢ થતી જાય છે. જ્યારે હોસ્પિટલ અને કેલેજે બાંધવાને પ્રચાર વેગ પકડતે જાય છે અને તેમાં પૈસા આપવાથી કીર્તિ અને ઈન્કમટેકસમાં રાહત મળે છે. સમાજને કેરી ખાતી માયાજાળ પુણ્ય મેળવવા કરાતાં દાન પાછળ સમાજને ઉપયોગી થવાની ભાવના હોય છે. આ ભાવના જોકે હજી જાગ્રત હશે છતાં કીર્તિની લાલસા વધુ સતેજ બની છે, એટલું જ નહિ એ રકમ ઈન્કમટેક્સમાં મજરે મળશે એવી લાંચનું પ્રલોભન પણ સતેજ બન્યું છે. કેળવણીની પેઠે દાનને પણ લાંચના પ્રલોભનથી દૂષિત બનાવાયું છે. જેમના લાભ અર્થે દાન થયું હોય તેમને તે તેને એંઠવાડ જ મળતું હશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy