SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈ, કલકત્તા જેવાં મેટાં શહેરામાં સરકારે કાયદેસરનાં કતલખાનાં શરૂ કર્યાં. અને આ કતલખાનાંઓમાં પશુઓને પુરવઠા નિયમિત મળતા રહે તે માટે ચેાસ વહીવટી પગલાં નક્કી કર્યાં. વહીવટી પગલાં દ્વારા કતલખાનાને પૂરા પડાતા પુરવઠા ડેરીમાં ગાય કે ભેંસ વસૂકી જાય ત્યારે તેને ખઠ્ઠલે બીજી ક્રૂઝણી ગાય કે ભેંસ લાવવી પડે. પણ પેલી વસૂકી ગયેલી ગાય કે ભેંસનું શું કરવું ? એ ગાય કે ભેંસ ફ્રીથી વિયાય અને દૂધ આપે ત્યાં સુધી ચાર મહિના નીકળી જાય. શું ચાર મહિના સુધી તેને મફત ખવડાવવું ? શહેરામાં ઘાસચારા મર્યાદિત પ્રમાણમાં જ લાવવા દેવામાં આવતા, કાયદાથી નહિ પણ વૅગનેાની ફાળવણી ઉપર અંકુશ રાખીને. શહેરની ડેરીમાં ગાય કે ભેંસ રાખવા માટે લાઇસન્સ લેવું પડતું. એટલે શહેરમાં ગાયા-લેસા કેટલી સંખ્યામાં છે તેની વહીવટદારને જાણકારી રહેતી અને એટલી સંખ્યાને પૂરો પડે એટલે ઘાસચારો લાવી શકાય તેટલાં જ વગના ફાળવવામાં આવતાં. હવે કુલ સંખ્યાની ૩૦ ટકા ગાયા અથવા એસા વસૂકી જાય ત્યારે તેટલાં ખીજા પશુ લાવવાનાં લાઈસન્સ આપે; વગના પણ આપે. પરંતુ આ ૩૦ ટકા વધારાનાં પશુઓ આવ્યાં તેમને માટે વધુ ધાસચારા જોઈએ, તેનાં વગના ન આપે. ત્યારે ડેરીવાળા વધારાનાં પશુઓ નવાં આવ્યાં તેમને શું ખવડાવે ? કુદરતી રીતે જ નવાં આવનારાં પશુઓ દૂધ આપતાં હોય તેમને જ મળી શકતા ઘાસચારો ખવડાવે અને વસૂકી ગયેલી ગાય-ભેસાને ભૂખી રાખવા કરતાં તેમને ક્તલખાને વેચી થાડા પૈસા મેળવી લેવાનું પસંદ કરે જેથી નવાં ઢાર ખરીઢવાના મૂડીરોકાણમાં થેાડી રાહત મળે. આમ દર વરસે ડેરીઆમાં નવી ગાય અને ભેંસા ગામડાંઓમાંથી આવતી જાય. છ-આઠ મહિના દૂધ આપે અને વસૂકી જાય એટલે કતલખાને જાય. એક ડેરીમાં ૧૦૦ પશુઓ હાય તા તે ડેરી દર વરસે તલખાનાને ૨૦૦ પશુએ પૂરાં પાડે. ૨૦૦ એ રીતે કે ગાય અથવા ભેંસ ગામડેથી ડેરીમાં આવે ત્યારે તેની સાથે તેનું બચ્ચું હોય. ડેરીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy