SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ અર્થ આપણા શાસ્ત્રકારોએ કર્યો છે “લા વિદ્યા યા વિમુe” જે ભક્તિ અપાવે તે વિદ્યા. મુક્તિ એટલે દુન્યવી લાલસાઓમાંથી, મેહમાયાથી, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા વગેરેથી મુક્ત કરી મેશને માર્ગ બતાવે તે વિદ્યા. આપણી કહેવાતી કેળવણીની સંસ્થાઓ તે આપણી પ્રજાને વધુ ને વધુ બંધનમાં. આર્થિક બંધનમાં રાજદ્વારી બંધનમાં તેમજ કામક્રોધના અંધનમાં જકડતી જાય છે. માટે એ નથી વિદ્યાધામ કે નથી કેળવણીની સંસ્થાઓ. એ છે આપણું જ પૈસે આપણા જ પુત્રો દ્વારા ભારતની પાંસઠ કરોડની પ્રજા ઉપર પરદેશી સંસ્કૃતિ, પરદેશી વિચારસરણી અને પરદેશી અર્થશાસ્ત્રની ગુલામી લાદી દેવાની સંસ્થાઓ. જ્યાં આપણા પૈસા વડે આપણા પુત્રોનું પશ્ચિમીકરણ કરીને તેમને આપણાં જ ધર્મ અને સંસ્કૃતિ ઉપર હુમલા કરવા અને દેશને પરદેશીઓની અદેશ્ય ગુલામીમાં ધકેલી દેવા છૂટા મૂકવામાં આવે છે. - અત્યારે ૬,૦,૫,૩૯૬ શિક્ષણસંસ્થાઓમાં ૨૪ લાખ ૧૬ હજાર શિક્ષકે કે પ્રેફેસરે ૭ કરોડ ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું (India 1917-18, Page 5) પશ્ચિમીકરણ કરી રહ્યા છે. આ પશ્ચિમીકરણની કિયા પાછળ પહેલી ત્રણ પંચવર્ષીય એજનામાં ૧૦ અબજ ૧૦ કરોડ રૂપિયા ખરચવામાં આવ્યા. એથી યેજનામાં ૭ અબજ ૮૩ કરોડ રૂપિયા ખરચવામાં આવ્યા અને પાંચમી પેજનામાં ૧૨ અબજ ૮૫ કરોડ રૂપિયા ખરચાયા. આમ કુલ પાંચ જનાઓમાં સરકારે ૩૦ અબજ ૮૪ કરોડ રૂપિયા ખર્ચા. પ્રજા તરફથી ખરચાયા છે તે જુદા, તે કેટલા ખરચાયા હશે તેને અંદાજ મળ મુશ્કેલ છે. આર્ય સમાજ સંસ્થા માટે એવું કહેવાય છે કે આ પશ્ચિમીકરણની ક્રિયા પાછળ કેળવણીના નામે પૈસા ખરચવામાં સરકાર પછી તેને બીજો નંબર છે. આજનાં બાલમંદિરથી તે છેક કેલેબે સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા ડોનેશનને નામે જે રુશવત આપવી પડે છે, (શિવતને આ - આંકડો હજારથી લઈને લાખ સુધી પહોંચી જતો હોય એમ કહેવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy