SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ્નિને પ્રદીપ્ત કરનારું છે. જે શુદ્ધ ઘી ગાયનું હોય તે તે વાત, પિત્ત અને કફ એ ત્રણે તેને નાશ કરનારું અને શરીરનાં ઝેરને બહાર ફેંકી શરીરશુદ્ધિ કરનારું છે. તે આંખોનું તેજ વધારનારું છે, તેમાં વિટામિન “એ” રહેલું છે. ગાયનું શુદ્ધ ઘી પગનાં તળિયામાં રેજ ઘસવાથી ચશ્માંના નંબર ઊતરી જાય છે. સંસ્કૃત ભાષામાં ઘી અને ચરબી બન્ને માટે જુદા જુદા શબ્દ. છે. ઘીને ઘત કહે છે. ચરબી માટે મેદ શબ્દ છે. આમ ઘી અને ચરબી. બન્ને એકબીજાથી વિરુદ્ધ ગુણવત્તાના જુદા પદાર્થો છે. ચરબી ખૂબ નુકસાનકારક અને શુદ્ધ ઘી આશીર્વાદરૂપ હોવા છતાં આપણને ઘી એ. ચરબી જ છે, એમ શીખવવામાં આવે છે. પશ્ચિમી પશુવિજ્ઞાન અને અંગ્રેજોએ તૈયાર કરેલા પશુવૈજ્ઞાનિકે એ દેશનાં દૂધ અને ઘીની ગુણવત્તાનું નિકંદન કાઢી નાખ્યું છે. એટલું જ નહિ દેશમાં તાજા દૂધ અને શુદ્ધ ઘીને દુકાળ નેતર્યો છે, અને છતાં રીક્ષેત્રના અમલદારોને 8વેત ક્રાન્તિનાં અને ઓપરેશન લિડનાં બણગાં તાં સંકેચ થતું નથી. આ કહેવાતી વેત ક્રાન્તિમાં લેકેના ચહેરા વેત (લેડી વિનાના ફિકા) બની ગયા છે, અને ઓપરેશન ફૂલડમાં પરદેશી ડેરીઓના દૂધનું પૂર અને પરદેશી કરજનું પૂર દેશને ભરડામાં લઈ રહેલ છે જે પૂર દેશના પશુધન, દેશની સંપત્તિ, દેશની નીતિમત્તા અને પ્રજાના સ્વાસ્થને તાણ જાય છે. ' ડરીઉદ્યોગે આપણને પરદેશીઓના દાસ બનાવ્યા છે. - અંગ્રેજી શાસનમાં ડેરી એ દેશના શ્રેષ્ઠ પશુધનને કતલખાનામાં ધકેલી દેવાની કેડી હતી. સ્વાધીન ભારતમાં એ પરદેશી ડેરીને દૂધને પાઉડર અને બટર ઓઈલ દેશમાં પ્રસરાવી દેનારી નહેર બની છે. જેમાં હમને છૂપ ભેંયરામાંથી દાખલ થઈને કિલ્લાને કબજે લઈ લે, તેમ ભારતની ડેરીઓમાં દાખલ થઈને પરદેશી ડેરીઓએ ભારતનાં દૂધ અને શુદ્ધ ઘીનાં વિશ્વનાં સહુથી મેટાં બજારેને કબજે લઈ લીધું છે. * જે ડેરી ઉદ્યોગ પાછળ દેશની સમસ્ત પ્રજાને શહેરી અને તમામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy