SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર વધે. રેતી કે પથ્થર નીકળે કે ગામના રહેઠાણે બાંધવાના કામમાં આપે. એ વેચીને તથા માટીના લિલામના જે પૈસા આવે તે ખેદનારાઓને મજૂરી પેટે ભાગે પડતાં વહેંચી દેવા પછી નદીમાં નીચે બતાવ્યા મુજબ મૂળથી મુખ સુકી ઇંટ કે પથ્થર અને માટી વડે નાના કુદડા અમુક ચોકકસ અંતર નક્કી કરીને સ્થળે સ્થળે બાંધી દેવા. પિતાના જ હિતની આ વાત પ્રજા સમજી શકે અને કાર્ય ઉપાડે તે છ થી આઠ મહિનામાં દરેકેદરેક નદી અને તળાવ ખેદી લઈ શકાય. તેમાં માસામાં પાણી ભરાઈ રહે. એ પાણી ફરીથી જમીન નીચે ઝમવા લાગશે અને ખાલી થઈ ગયેલા ભૂગર્ભના પટને ફરીથી ભરી દેશે. એ પાણી કૂવામાં આવીને પાણીના દુકાળને દૂર કરશે અને જમીન નીચે ધસી આવતાં દરિયાના પાણીને અટકાવશે. જમીનનું ધોવાણ અટકાવો પાણીની અછત દૂર થયા પછી નદીનાળાં અને તળાવે ફરીથી જમીનના છેવાણની માટીથી પુરાઈ ન જાય માટે નદીઓના હેળાવ ઉપર, પર્વતની ધારે ઉપર અને નદીકાંઠાએ ઉપર જ્યાં જ્યાં ખાલી પટ હોય ત્યાં માસામાં ઘાસનાં બીજ છાંટી દેવાં. પહેલા ચોમાસામાં જ ઘાસનાં ચરિયાણે ઊગી નીકળશે. ઉપરાંત નદીના કિનારે કિનારે દર ૨૦-૩૦ ફૂટને અંતરે વૃક્ષે રેપી દેવાં. એટલે જમીનનું ધોવાણું થશે નહિ. પશુઓ માટે ઘાસચારે મળશે. ગામલેકએ અંદરોઅંદર સમજૂતી કરી લેવી કે કેઈએ દિવાળી પહેલાં આ ચરિયાણામાં પોતાનાં પશુઓ ચારવાં નહિ. ' તે ઉપરાંત દરેક ગામના લેકેએ પિતાનાં રહેઠાણે આસપાસ, પાદરમાં, ખેતરેના છેડે–જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં જલદી ઊગી નીકળે તેવાં વૃક્ષો ઉગાડવાનું શરૂ કરવું જોઈએ. શહેરમાં વસતા શહેરીઓ પિતે જે ફળ ખાતા હોય છે તેનાં બીજ કૂડાંમાં ઉગાડી તે રેપ દર ચોમાસા પહેલાં ગામડાંઓને ભેટ આપવા જોઈએ. ગામના સરપંચ એ ભેટ સ્વીકારી તેને ચેપગ્ય સ્થળે વાવી દેવાની વ્યવસ્થા કરે. આ રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy