SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રપર તે બનાવી લેવા. તેમની ફરજ ત્યાં પૂરી થઈ ગઈ. આવી ભલામણ કરીને તેમણે પોતે ગાંધીમાર્ગે ચાલે છે એવી છાપ ઊભી કરી. વરસે પછી કોઈએ લેકસભામાં હાથબનાવટના કેટલા કાગળ સરકારે વાપર્યા છે તેને સવાલ પૂછયો ત્યારે ઘણું કરીને વેપાર પ્રધાને કહ્યું કે અમુક કરોડ રૂપિયાના મિલના કાગળ સરકારે વાપર્યા છે અને હાથબનાવટના ૩૯ હજાર રૂપિયાના વાપર્યા છે, કારણ કે એથી વધુ અમને મળી શક્યા નહિ. ખુલાસામાં તેમણે કહ્યું કે ગ્રામ-ઉદ્યોગ સંઘ હાથકાગળની કોઈ યેજના લઈને અમારી પાસે આવ્યું નથી. ઉદ્યોગપતિઓ કાગળની મિલેની યોજના લઈને મારી પાસે આવ્યા. મને કાગળની જરૂર હતી એટલે તેમની વૈજના મંજૂર કરી. બીજી તરફ ગ્રામ-ઉદ્યોગ સંઘે ગ્રામ-ઉદ્યોગ વિકાસ પામે માટે તેમને જરૂરી સહાય કરવાને બદલે પોતે જ ઉત્પાદકે બની બેઠા અને પિતાની લાગવગ તેમ જ સત્તાના જોરે નાના ઉત્પાદકોને ગૂંગળાવી દીધા. ગામડાંઓમાંથી સસ્ત માલ આ સંઘે પાસે વેચાવા માટે આવતે તે વેચવાને બદલે બે-ચાર મહિના રાખીને તે નથી ખપતે કહીને પાછો મોકલી આપવાના પ્રસંગે પણ બનતા. - આ બધાં કાર્યો એ અંદરથી ભાંગફોડ થવાની નિશાની છે. આ ભાંગફેડને સામને ન થઈ શક્યો કારણ કે ખાદીને અને ગ્રામ* ઉગેને ગોરક્ષા અને સંવર્ધનનું રક્ષણ ન હતું. ઉત્પાદન-ખર્ચ ઘટાડે ગ્રામ ઉદ્યોગ અને ખાદી અર્થશાસ્ત્રમાં અનાજ એ ચલણું નાણું છે. ઉદ્યોગ વિકાસ માટે નાણું સસ્તું દેવું જોઈએ. યંત્ર-ઉદ્યોગનું ચલણી -નાણું સિક્કા એને મોંઘું બનાવી શકે છે. ચંદ્યોગમાં નેટના ચલણી નાણુને ફુગા શાપરૂપ હોય છે. પણ ખાદીના અર્થશાસ્ત્રમાં અનાજના ચલણના નાણાને ફુગા આશી- ર્વાદરૂપ હોય છે. ગાંધીજીએ ખાદીની ઘોષણા કરી તે વખતે હજી ગામડાંઓમાં અનાજને ઉપયોગ ચલણી નાણુ તરીકે થતું. લેકેને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy