SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જ થાય છે. નવે કાંતનારે પણ થોડા વખતમાં આ રૂમાંથી નંબરનું સૂતર કાંતી શકે છે એટલે કાપડની જાત સુધારવા માટે એ એક શ્રેષ્ઠ સાધન છે. આમાં ખેતરમાં તેની ખેતી કરવાને સવાલ જ નથી. મને યાદ છે ત્યાં સુધી ગાંધીજીએ “નવજીવનમાં આ કપાસ ઘરઆંગણે ઉગાડી લેવાની અને તેમાંથી કપડાં બનાવડાવી લેવાની સૂચના લેકેને આપી હતી. પણ તેમને આ આદેશ લેકેને ઘેરઘેર પહોંચાડવામાં ખાદીકાર્યકરો તરફથી કશું થયું નહિ. અવહેવારુ સિદ્ધા અને નિયમો એનું એક જ કારણ કલ્પી શકાય છે કે આંધ્ર અને બિહારમાં કુશળ કારીગરે; જેમની નસમાં ઢાકાની પ્રખ્યાત મલમલ બનાવનારા પૂર્વજોનું લેહી વહેતું હતું, તેઓ આવું બારીક સૂતર મળતાં જ મિલેની મલમલ સાથે હરીફાઈ કરવા આગળ આવે અને લેકે મિલને બદલે ખાદી વાપરવા આકર્ષાય. એટલે જે ભાંગફોડિયા ખાદીકાર્યમાં ઘૂસી આવ્યા હતા, તેમણે આ વાતને આગળ વધવા દીધી નહિ અને ‘નવજીવનમાં પ્રસિદ્ધ થયેલી ગાંધીજીની સૂચના “નવજીવન'ની ફાઈલમાં જ અટવાઈ ગઈ, લેકો સુધી પહોંચી નહિ. આજે ઇંડાંને, માંસાહારને, માછલી મારવાને, સંકર ગાયને, કુટુંબનિયેજનને જે ધારદાર પ્રચાર બારે માસ વર્તમાનપત્રમાં, જાહેર મંચ ઉપરથી, કેળવણુ દ્વારા વગેરે વિવિધ માગે થાય છે, તેનાથી અડધે પ્રચાર પણ ખાદી માટે થયે હેતઃ ઉપર લખેલા વિષયેના પ્રચાર માટે જે પૈસા, સાધને અને શક્તિ વેડફાય છે તેના ચોથા ભાગનાં પણ ખાદીના પ્રચાર માટે વપરાયાં હેત, પહેરનારાઓને અને ઉત્પાદકોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા તે આજે ખાદીએ પિતાની જૂની પ્રતિભા, પ્રતિષ્ઠા અને અર્થવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થામાં પિતાનું સ્થાન ફરીથી મેળવ્યું હત. ખાદીને માટે જે નિયમ ઘડાયા, જે સિદ્ધાંતે સ્વીકારાયા તે તમામ વેપારી દષ્ટિએ માત્ર ખામીવાળા નહિ પણ ભાંગફેડ કરવાના, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy