SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ જે પરદેશે ભારતની ખાદી ન ખરીદે તે જ ત્યાં ઇંગ્લેન્ડનું કાપડ પ્રવેશી શકે કારણ કે ભાવ અને ગુણવત્તામાં ખાદી સામે ટકી રહેવાની તેમની ગુંજાઈશ ન હતી. તે ઉપરાંત ભારતનું બજાર એક વિશાળ બજાર હતું. આજે પણ છે) તેમાં પણ પિતાનું કાપડ ઘુસાડી શકાય તે ઇંગ્લેન્ડને અઢળક નાણાં મળે. જે ખાદી નિમૂળ થાય તે જ ભારતનું વિશાળ અને જે જે દેશોમાં ભારતની ખાદી વેચાતી તે દેશનાં બજારે અંગ્રેજી પ્રજાના હાથમાં આવે. ખાદી અને ગાધન સામે પર્યા એટલે તેમનું સહુ પ્રથમ લક્ષ ભારતની ખાદીને નિષ્ફળ કરવા તરફ ગયું. ખાદી ગોસંવર્ધનથી રક્ષાયેલી હતી. ખાદીને ખતમ કરવી હોય તે ગેસંવનને બદલે ગેનિકંદન થવું જોઈએ. તે જ તેની અસર ખેતી ઉપર, મેંઘારત ઉપર અને મનુષ્યનાં સ્વાશ્ય ઉપર થાય. સમાજના સંગઠન ઉપર પણ થાય. ગાયને મારી શકાય તે ખેતી મેંદી થાય, ખેતી બગડે તે ખાદી મેંઘી થાય. અને ખાદી મેંઘી થાય તે તેને ઉત્પાદનને અસર થાય અને પિતાના દેશનું કાપડ પરદેશી બજારમાં અને ભારતનાં બજારમાં પણ ખાદીના ઓછા થતા ઉત્પાદનને સ્થાને ઘુસાડી શકાય. આમ શેતરંજના દાવ પેઠે ખાદી અને ગોધન સામે જનાઓ ઘડાઈ, જયંત્ર શરૂ થયાં. પ્રપંચે, દાવપેચે દ્વારા લડતની શરૂઆત થઈ. | હિંદુસ્તાનને ખાદીને વેપાર કેવી ઝડપથી તેમણે તેડ્યો તેના આંકડા તપાસતાં પહેલાં તે ભાંગવા માટે કેવા પ્રપંચે અને તમે ગુજારવામાં આવ્યા તે જાણવું જરૂરનું છે, જેથી આપણા ખ્યાલમાં એ આવી શકે કે આપણે આટલી ઝડપથી આ વેપારી યુદ્ધમાં કેમ પરાજય પામ્યા. એ ભારતના તે સમયના રાજવીઓને ભેળા કહેવા કે મૂરખ એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ આપણે તેમને ભેળા કહીને જ ત્યારના બનાવે વિચારીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy