SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ માન્ય રાખે છે તે નાબૂદ થ જોઈએ. અને તેને બદલે તમામ મૂડી ઉપર સમાજને માલિકીહક સ્થાએ જોઈએ. અહીં માણસની અંગત વાપરવાની વસ્તુઓ – જેવી કે કપડાં, પુસ્તક, રહેવાનું ઘર, તેમાંનું રાચરચીલું – એના ઉપર માલિકીહકની નાબૂદીની વાત નથી. આવા માલિકીહકથી કેઈનું શોષણ થઈ શકતું નથી. શોષણ તે ઉત્પાદનનાં સાધને ઉપરના માલિકીહકથી થાય છે. જે વસ્તુમાંથી ઉત્પાદન કરી શકાય તે વસ્તુ ઉપર તમારો માલિકીહક ન હવે જોઈએ. ઘર તમે જાતે વાપરે તે વધે નહિ, પણ જો તમે તે ભાડે આપ તે તે તમારી આવકનું સાધન થયું અને તેના ઉપર તમારે માલિકીહક ન હોઈ શકે 0 માર્કસનું ગાઢ અજ્ઞાન - કાર્લ માર્કસને બીજે મોટે સિદ્ધાંત વર્ગવિગ્રહને છે. ભારતની હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સમાજરચનાનું તેને જ્ઞાન નથી, એટલે એ મને છે કે માલિક અને ગુલામ, જમીનદાર અને કિસાન, વેપારી અને કારીગર વચ્ચેના વિગ્રહએ જ માનવજાતિની પ્રગતિમાં ફાળો આપે છે. (પ્રગતિની એની વ્યાખ્યા શું હશે તે આપણે જાણતા નથી.) હવે બદલાએલા સંજોગોમાં યંત્રોના આવાગમને મૂડીદાર અને મજૂર વચ્ચે વિગ્રહ આરંભા છે. મૂડીદાર પાસે ઉત્પાદનનાં સાધને (મંત્રો) છે. રાજ્યસત્તા તેની પડખે છે અથવા રાજ્યતંત્રમાં મૂડીદારનું જ વર્ચસ્વ છે. મજૂરે પાસે એની મજૂરી વિના બીજું કશું નથી. મજૂરી એ જ એની મૂડી છે, અને પિતાની મજૂરીરૂપી મૂડી મૂડીદારને વેચે તે જ તેનું ગુજરાન ચાલે, માટે મૂડીદાર વર્ગ સામે દારૂણ વિગ્રહ આદરીને મૂડીદારોને નાશ કરી ઉત્પાદનનાં સાધને મજૂરોએ હાથ કરવાં જોઈએ. મૂડીદાર વર્ગ નાશ પામ્યા પછી શેષણ બિલકુલ રહેશે નહિ. કારણ કે શોષણ કરનારા વર્ગને અંત આવ્યું હશે. પ્રજાઓનું શોષણ કરવા માટે જુદાં જુદાં રાજ્યના મહીદાર વચ્ચે સ્પધી જાગે, તેમાંથી યુદ્ધો પદા થાય છે. માર્કસ કહે છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy