SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ વિષે બે મત પ્રવર્તે છે. ડોક્ટરે તે બાબત જુદા જુદા મત ધરાવે છે. વળી પ્રોટીન એ પરદેશી જ્ઞાન હેઈને અહીંના ડોકટરને તેના નિર્ણય માટે પરદેશી ડોકટરના નિર્ણય ઉપર આધાર રાખ પડે છે. પ્રોટીન પચવામાં ભારે છે. અને જે વસ્તુમાં પ્રોટીન વધારે હેય તે. વસ્તુ પચવામાં ભારે હોય છે. પચવામાં ભારે હોય ત્યારે તે ચીજ. પેટમાં સો કરે છે. વિવિધ રેગેને નેતરે છે. એટલે પ્રોટીન કેટલા પ્રમાણમાં લેવું તે વિષે ડોકટરો એક મત થઈ શકતાં નથી. આરોગ્યની દષ્ટિએ વૈદકીય સિદ્ધાંત ઉપર ખરીફ અનાજ કરતાં ઘઉં વધારે. ઉપયોગી નથી. પરદેશીઓએ ખરીફ અનાજેમાં ચખા બાદ કરતાં બાકીના જુવાર, બાજ, રાગી, મકાઈ, નાગલી વગેરેને જાડા એટલે કે હલકા અનાજમાં ગણતરી કરી તેથી તે હલકા બની જતા નથી. સૌરાષ્ટ્રમાં તે બાજી એ રજવાડી ખેરાક હતા. રાજવીએ ગમે તેવું મિષ્ટાન્ન જમ્યાં હોય તે પણ મિષ્ટાન્નને અંતે બાજરાને રોટલે ખાતા અને કાઠી રજવાડાંઓમાં તે લગ્ન પ્રસંગ હોય કે મોટા મહેમાન આવ્યા હોય પણ બાજરાના રોટલા શેડકઢું દૂધ અને માખણ એ જ મુખ્ય મહત્વને અને રજવાડી ખોરાક હતું. ' જ આર્થિક દૃષ્ટિ એ મૂલવીએ હવે ઘઉંને આર્થિક દષ્ટિએ મૂલવીએ. તેના અનાર્થિક પાસ ડાંઘણાં તે ઉપર વર્ણવાઈ ગયા છે. ઘઉં ઉગાડવા માટે જમીનની જાત પ્રમાણે હેકટર ૪૫ થી ૧૩૫ કીલે એટલે કે હેકટર દીઠ સરેરાશ ૯૦ કિલો બિયારણ એરવું પડે છે, (હેકટર એટલે અઢી એકર) અને હેકટરે સરેરાશ ૬૦૦ થી ૬૫૦ કીલો પાક ઉતરે છે. એટલે કે બિયારણ કરતાં લગભગ ૭ થી ૭ ગણે પાક ઉતરે છે. (હેન્ડબુક ઓફ એગ્રિકલ્ચર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રીસર્ચનું પ્રકાશન ૧૯૬ની ત્રીજી આવૃત્તિ) ગંગાના ખીણ પ્રદેશ અને પંજાબ, હરિયાણાના અમુક પ્રદેશને બાદ કરતાં ઘઉને પાક ખરીફ અનાજ કરતાં વધારે નથી. પણ તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy