SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શહેરમાં એકબીજાથી જુદી છે, કારણ કે બન્ને સ્થળોએ લેકની રહેણીકરણીમાં તફાવત છે. - રહેઠાણે બાંધવાં, ખેતી કરવી, જીવનજરૂરિયાતની ચીજોનું ઉત્પાદન તેમજ બીજા ઉદ્યોગ, કેળવણી વગેરે આર્થિક અને સામાજિક વ્યવસ્થાનાં અંગે છે અને જે પ્રકારની આર્થિક વ્યવસ્થા આપણે અપનાવીએ તે પ્રકારનાં ઉપર મુજબનાં તમામ અંગેના અને સામાજિક ઘાટ ઘટાય છે. આ દુનિયામાં બે પ્રકારની અર્થવ્યવસ્થા (૧) ભારતીય અર્થવ્યવસ્થા અને (ર) પશ્ચિમની શેષણર જીવશત્રુ અર્થવ્યવસ્થા. ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાને સિદ્ધાંત રહે છે. રાષ્ટ્રના અને સંસ્કૃતિના પાયા રૂપ એ. ચારે બાબતે અતિ મહત્વની છે, એકબીજાના આશ્રયે રહેલી છે, અને એકબીજાથી સંકલિત છે આ ચારમાંથી એક પણ પાયે નાશ પામે કે નબળે પડે તે બાકીના ત્રણ પાયા પણ નાશ પામે. ' એક રક્ષક - ભારતીય અર્થવ્યવસ્થા જીવસૃષ્ટિનું રક્ષણ અને પિષણ કરવામાં માને છે. ક્યાંય કેઈનું શોષણ કરવાની ભાવના તેમાં દેખાતી નથી. શેષણ થઈ શકે તેવી શક્યતા સામે પણ તેમાં સાવધાની રાખવામાં આવી છે. એટલે તે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કઈ શ્રીમંત કે લાગવગવાળી વ્યક્તિઓ કે સંસ્થાઓના હાથમાં અથવા તે ખુદ રાજસત્તાના પણ હાથમાં રહેવા દેવાને બદલે તેનું વિકેન્દ્રીકરણ કરી ગામડાં. એના કારીગરને સોંપ્યું અને ચૂલે, ચરખે, ઘટી, વલેણું અને ખાંડણિયું એ પાંચેયને ઘરઘરને ઉદ્યોગ બનાવી દૈનિક યજ્ઞ રૂપે સ્વીકાર્યા. આ પાંચેય દૈનિક ગૃહ-યની સાથે મોટા આર્થિક સિદ્ધાંતે સંકળાએલા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy