SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ને વધુ ભાડું લેવાની, પાઘડી લેવાની, નબળું બાંધકામ કરવાની વૃત્તિ જાગી. નબળાં બાંધકામને કારણે મકાને જલદી જર્જરિત થવા લાગ્યાં. તેમની મરામત ખૂબ મેંઘી પડવા લાગી. જર્જરિત મકાનની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ મકાનની અછત વધતી ગઈ, જેના પરિણામે વધુ ભાડું, મોટી રકમની પાઘડી; અને જુદાં જુદાં બહાનાં નીચે લેકનું શેષણ અને સતામણ વધી પડ્યાં. શેષક અર્થવ્યવસ્થાને ભોગ બનેલાં ગામડાં શોષક અર્થવ્યવસ્થાએ પકડ જમાવી તે પહેલાં ગામડાં સ્વાવલંબી અને સમૃદ્ધ હતાં, પણ એ અર્થવ્યવસ્થા જેમ જેમ પકડ જમાવતી ગઈ તેમ તેમ ગામડાંઓ શેષણને ભેગ બની બેકારી, ગરીબી અને બિમારીઓનાં વમળમાં સપડાયાં. સાધનસંપન્ન, શ્રીમંત અને ભારે લાગવગવાળા અને સરકારથી રક્ષિત એવા ઉદ્યોગોની સામે હારી જઈને ગામડાઓને કારીગરે પિતાનાં ગામડાંઓમાંના ધંધા સંકેલી લઈ, સદીઓ જૂનાં ઘરબાર છોડી, રોજીરોટી માટે સ્થળાંતર કરી શહેરમાં આવવા લાગ્યા. એટલે શહેરમાં મકાનની તંગી શરૂ થઈ અને મકાનના તેમ જ જમીનના ભાવ વધવા લાગ્યા. આ સ્થિતિને લાભ લઈ વધુ ને વધુ મજલાના મકાને બાંધવાનું શરૂ થયું અને જમીનના ભાવમાં કલ્પનાતીત ઉછાળો આવ્યો. મેંધી જમીનના બહાના નીચે મકાનની કિંમત પણ ચારથી પાંચ ગણું વધી ગઈ.. ગામડાઓમાંથી સ્થળાંતર કરીને આવેલા કારીગરે કે શહેરમાં બે-ત્રણ પિઢીથી વસતા અને પડવાને વાંકે ઊભેલાં જર્જરિત મકામાં . - મોતના મુખમાં રહેતાં ગરીબ કે મધ્યમ વર્ગનાં કુટુંબે આ નવાં અંધાતાં બહુમાળી મકાનમાં વસી શક્યા નહિ પણ દાણચેરી, કરચેરી, કાળાબજાર, લાંચરૂશવત વગેરે રસ્તે મબલખ કમાણી કરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005614
Book TitleVishvamangal Granthmala Part 02
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy