SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારનાં પશુ-પક્ષીઓનાં હાડકાં, ચામડાં, માંસ અને શરીરના અવયવેની (કરડે દેડકાંઓ મારી, તેમના પગની, મેર જેવા પવિત્ર અને ઉપચેગી પક્ષીને મારીને તેમનાં પીછાંની નિકાસ કરવામાં આવે છે.) તેમ જ રાજની અમો માછલીઓ મારીને તેમની નિકાસ કરી, આપણા 'તંત્રને સંપૂર્ણ રીતે હિં'સા ઉપર અવલ'બિત કરી નાખ્યું છે. હિંસા એ રાબેતા મુજબની ક્રિયા છે, અને રાજી મેળવવાની કે સમૃદ્ધ થવાની સ્વીકૃત પદ્ધતિ છે, એવી માન્યતા જન્માવી છે. સૌરાષ્ટ્રની દુર્દશા પૌરાષ્ટ્રનાં દૂધ અને ઘી એક સમયે દુનિયાભરમાં પ્રખ્યાત હતાં. વળી સૌરાષ્ટ્રનું ઘી દુનિયાના દેશોમાં નિકાસ થતું. આજે ત્યાં શુદ્ધ ઘી જોવા મળતું નથી. તેને ખલે એના આખા સાગરિકનારા જે વૈષ્ણુવ, જૈન અને શૈવ મતના લેાકીના પવિત્ર તીર્થધામથી પથરાયેલે છે, ત્યાંથી લાખા ટન માછલાં પકડી તેની નિકાસ દ્વારા હૂડિયામણુ મેળવવાના રસ્તે આપણી સરકારને આ નિષ્ણાતેએ ચડાવી દીધી છે અને એ રીતે આપણાં પવિત્ર યાત્રાધામા પર પણ આવાં અધમ અને હિં'સક મૃત્યુ માટે પસંદગી ઉતારીને ધર્મની, ધર્મસ્થળની અને લેાકીની ધર્મભાવનાની ઠેકડી ઉડાવીને ઊગતી પેઢીને ધર્મ પ્રત્યે આદરહીન બનાવવામાં તેમને કશું અજુગતું લાગતું નથી. ધર્મ, ધર્મસ્થળે અને હિંસા વચ્ચે તેમણે હિંસાને પસંદગી આપી, તેને આદરણીય અને અનિવાર્ય ગણાવી ધર્મસ્થળોની મર્યાદાના લેપ કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યા નથી. લોકોની નારાજીની પરવા .કરી નથી. એકૌલેના દેશી સતાનાએ સર્જેલી ખાનાખરાબી જે દેશમાં દૂધ, ઘીની નદીઓ વહેતી ત્યાં આજે પીવાનું પાણી પણ દુર્લભ બન્યું છે અને દારૂની રેલમછેલ ચાલી છે. જે નદીએ ખારે માસ પાણીથી ઉભરાતી ત્યાં આજે ધૂળ ઊડે છે. જે પ્રજા એક સમયે યુરોપીય દેશેાને ખવડાવતી તે આજે પરદેશી સડેલું અનાજ પૂરા બળતણને અભાવે કાચુ પાકું રાંધીને અધે ભૂખે પેટે જીવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy