SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ પશુ નિષ્ણાતા જ પશુધનની પાયમાલી માટે જવાબદાર આજે આપણાં જે પશુનિષ્ણુાતા ચિચિયારીઓ પાડે છે કે, “ આપણી ગાયા મહુ ઓછું દૂધ આપે છે, અને પરદેશમાં આપણાં પશુઓની તથા આપણી ધાર્મિક ભાવનાની બઢાઈ કરે છે, એ લેક જ આજના આપણા પશુધનની ઊતરતી પાયરી માટે અને દેશમાં પ્રવતંતી શુદ્ધ ઘી, દૂધની ઉગ્ર અછત માટે જવાબદાર છે. ગાદાન: અપેક્ષાએ ઉત્તમ દાન ગાય જ્યારે dairy animal ન હતી, અને ઘર ઘરમાં કુંટુંબીજન જેવી હતી, ત્યારે વાછડા કે વાછડીને પૂરા ૨૫૦ થી ૩૦૦ દિવસ સુધી પેટ ભરીને ધવડાવવામાં આવતાં, પરિણામે શ્રેષ્ઠ ગાય, અળદ અને ધણખૂંટના વંશવેલા પાંગરતાં જ રહેતા. ગાયને વેચવાને વિચાર ભારતમાં દૂષિત ગણાય. ગોદાન ઉત્તમ દાન ગણાતું. દરેક પ્રકારના ધાર્મિક કે સામાજિક પ્રસંગે, મેદાનનું મહત્ત્વ સ્વીકારાતું. એટલે દશ મહિના પછી વાછડી ધાવવાનું બંધ કરે, ત્યારે કોઈ જરૂરિયાતવાળાને કે દેવમંદિર કે કોઇ ગેાશાળાને ( ગે શાળાએ પણ દેવમ"ક્રિશ કે ધર્માદા ટ્રસ્ટો ચલાવતા) દાનમાં આપી દેતા. વાછડી હાય તા કોઈ પણ ખેડૂત તે લઈ જતા અને ધણખૂટ બનાવવા જેવે શ્રેષ્ઠ વાછડો હાય તા તેને ધણખૂટ બનાવવામાં આવતા. ધણખૂટાની પરપરા શ્રેષ્ઠ ધણુ ખૂંટોની પરંપરા ચાલુ રાખવા માટે ભારતમાં એ પ્રકારની પ્રથા હતી : (૧) હિંદુ સમાજમાં કોઈ કુંવારા અવસાન પામે ત્યારે તેની પાછળ તેની ઉત્તરક્રિયામાં નીલશ્રાદ્ધ કરવાના રિવાજ છે. આ ક્રિયામાં વાછડા-વાછડીનાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવે છે. આ લગ્ન માટેના વાછડા સર રીતે શ્રેષ્ઠ ગુણવાળે હવે ોઈએ. યા કયા ગુણ્ણા એ વાછડામાં હાવા જોઈએ તે પણ આપણા શાસ્ત્રકારોએ નક્કી કરેલું છે. એ નક્કી કરાયેલા ગુણવાળા વાછડા પસંદ કરી, લગ્નવિધિ કરી, તેને છૂટા મૂકી દેવામાં આવતા. પછી તેની માલિકી અને તેનુ રક્ષણ અને પોષણ કરવાની જવાબદારી સમાજની રહેતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy