SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જ્યારે ગાયના દૂધનું પ્રમાણ અને ખાવાના ખચ` એ એની તુલનાના વિચાર જ કરવાના ન હોય, ત્યારે ગાયને લકો પોતપાતાની શક્તિ મુજબ પેટ ભરીને ખવડાવે છે, એટલું જ નહીં તેના વાછડાને પશુ પેટ ભરીને ધવડાવે છે. વાછડાંઓને પેટ ભરીને ધાવવા દઈને • ભવિષ્યના ઉત્તમ ધણખૂટ બળદ, કે ગાયના વશવેલાને અબાધિત રીતે પાંગરતા રાખે છે. વાછડાને પેટ ભરીને ધાવવા દેવામાં ગાયના માલિકને જરા પણ સંકોચ થતા નથી. કારણ કે તેને ગાયનું દૂધ વેચીને પૈસા પેદા કરવાની લાલસા હેાતી નથી. એ તે જેમ પેાતાના છેકરાને પેટ ભરીને જમાડવામાં તેના ખરચના હિસાબ કરતા નથી, તેમ પેાતાના વાછડાને પેટ ભરીને ધવડાવવામાં પણ તેના દૂધની 'મતના વિચાર કરતે •નથી. ડેરી ઉદ્યોગથી શરૂ થતા ગેાવશ ઉપરના અત્યાચા પણુ ગાયને કુટુંબના સભ્યપદેથી હડસેલી દઈને ગાય અને દૂધરે વેપારની ચીજ ખનાવીને, ડેરી ઉદ્યોગનું રૂપાળું નામ આપ્યું કે તર જ ગાયને ખવડાવવાના ખરચના, વાછડા દૂધ પી જાય તેની કિંમતને હિસાબ થાય છે. ગાય ત્રણ શેર દૂધ આપે તે દેઢ શેર દાણા ખવડાવાય, પાંચ શેર દૂધ આપે તે અઢી શેર દાણા ખવડાવાય, અને દેશે સ્વીકારેલા શાષક અથ તંત્રના સંદર્ભ માં પશુઓના ખારાકના સંઘરા, સટ્ટા, નિકાસ અને અકુદરતી અછતને કારણે તેના ભાવ વધે તે પશુઓને અપાતા ખારાકમાં એટલા કાપ પણ મુકાય; પછી ભલે તે ગાય માટા કદની હાય અને તેની જરૂરિયાત વધુ દાણા ખાવાની હોય. તે જ પ્રમાણે વાડો કે વાછડી રાજ એક શેર દૂધ ધાવી જાય તા એક રૂપિયાનું દૂધ થયું. એ ગણતરીએ વાછડા ત્રણ મહિનાના થાય ત્યારે એની માથી વિખૂટા પાડીને એને સે રૂપિયામાં વેચા નાખવામાં આવે છે. જેથી તે ત્રણ મહિનામાં જે દૂધ ધાવી ગયે। હાય તેની કિંમત વસૂલ થઈ જાય. પણ વાછડા કે વાછડી કાંકરેજ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy