SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જે સંપૂર્ણ ગેરબંધીની નીતિને નિષ્ઠા અને પ્રામાણિકતાથી અમલ કરવામાં આવે તે નવા કોઈ જાતના કર નાખ્યા સિવાય પાંચ વરસમાં બીજા બે કરોડ મનુષ્યને રોજી આપી શકાય. રાષ્ટ્રીય આવો આધાર ગાય અને ગોવંશ રાષ્ટ્રની કુલ વાર્ષિક આવક વંશ દ્વારા ૧૪,૬૦૦ કરોડની છે, જ્યારે ઉદ્યોગ દ્વારા માત્ર ૩,૮૦૩ કરોડ રૂપિયા છે. જે સંપૂર્ણ ગેવલબંધી કરવામાં આવે તે રાષ્ટ્રીય આવકમાં બીજા ૧૪,૦૦૦ કરેડિને વધારે થઈ શકે. દૂધને વેપાર એ હિંદુ ધર્મને કે હિંદુ સંસ્કૃતિને અને હિંદુ અર્થવ્યવસ્થાને માન્ય નથી. દૂધ એ કાંઈ વેપાર-વિનિમયની ચીજ નથી. એ તે જેમ હવા અને પાણી, મનુષ્ય જીવનની જરૂરિયાત છે તેમ આબાલ વૃદ્ધ તમામ માનવ-જીવન માટે, શારીરિક અને બૌદ્ધિકવિકાસ માટે અનિવાર્ય જરૂરિયાતની ચીજ છે. દૂધની કિંમત ઉપરથી જ ગાયની આર્થિક-અનાર્થિક સ્થિતિ નક્કી કરવી હોય તે દૂધના ભાવ નીચા બાંધીને રમને ઘાસચારાના ભાવ ઊંચા બાંધીને તમામ ગાયને અનાર્થિક અને બિનઉપયોગી ગણાવી શકાય, પણ તેમ કરવા જતાં દેશની સમગ્ર અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જાય અને આપણે દેશ પરદેશીઓનું આર્થિક સંસ્થાન બની જાય. કેટલાક નિષ્ણાત એવી પણ દલીલ કરે છે કે, “આપણે ત્યાં એક એકર જમીન પર બે માણસ અને એક ગાય છે. એક એકર જમીન આ ત્રણ જીવને પિષી શકે તેમ નથી. તે પછી જીવવું કોણે? મનુષ્ય જીવવું? કે પોતે મરી જઈને ગાયને જીવવા દેવી?” લોકોને ડરાવવાના હેતુથી અને ગેહત્યા તરફને તેમને રોષ ઓછો કરવાના હેતુથી આવી વાહિયાત દલીલેને પ્રચાર કરવામાં આવે છે. આપણે ત્યાં માત્ર અનાજ નીચેના ખેડાણની જમીન ૩૦ કરોડ એકરથી વધારે છે અને તે જમીન ઉપરાંત ચરિયાણ જમીન, જંગલ અને અણવપરાશની આઠ કરેડ વ્યાસી લાખ પચાસ હજાર એકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy