SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પસંદ કરવા જેવું શું છે? | ૮૭ અર્થતંત્ર (ગ્લોબલ ઈકોનોમી) ને માટે ઘડાયેલું છે. ખુદ સરકારો પણ આવા અર્થતંત્રને કારણે જરૂરી બને છે અને તે પોતાની શક્તિ પણ તેમાંથી મેળવે છે. તેથી સરકાર નાણાપ્રધાનને અને નાણાપ્રધાન સરકારને અને તે બંને મળીને આયાત-નિકાસ કરનારા મોટા ઉદ્યોગપતિઓને સાથ આપ્યા કરે છે. બીજી બાજુ, પૈસા મેળવવા માટે પ્રામાણિક ઉત્પાદનનો જ નહીં ચોરી-ધમકીનો પણ બીજો રસ્તો હોઈ પૈસાની સર્વોપરિતા વધવાની સાથે ગુંડાઓનો વર્ગ પણ ઊભો થાય એ દેખીતું છે. આથી આપણે આમ નાગરિકોએ એ વિચારવાની જરૂર છે કે નાણાપ્રધાન તેમ જ તેમને આનુષંગિક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય નાણાકીય અને આર્થિક સંસ્થાઓના અર્થશાસ્ત્રીઓનો ધંધો વકીલાત જેવો છે. છેલ્લાં બસો વર્ષોથી અર્થશાસ્ત્રીઓએ ગંજાવર યંત્રો વડે કરાતા ઉત્પાદનની અને તેમાંથી પરિણમતા આંતરરાષ્ટ્રીય વેપારની વકીલાત કરી છે. એને કારણે પૈસાની સર્વોપરિતા વધતી ગઈ છે અને પૈસો સરકારો તથા મોટા ઉદ્યોગપતિઓ પાસે ભેગો થયો છે. તેથી આ અર્થશાસ્ત્રીઓને પણ તેઓની સાથે નિબત છે, નહીં કે આમપ્રજાની સાથે. ગંજાવર યંત્રો દ્વારા થતા ઉત્પાદનને પરિણામે દેશની વિશાળ પ્રજા બેકારીમાં ધકેલાય તેમ જ આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને કારણે વાહનવ્યવહારથી માંડીને સંરક્ષણ સુધીની જરૂરી બનતી અનેકવિધ ‘સેવાઓનાં માળખાંઓના જંગી ખર્ચાઓને પરિણામે દેશની વિશાળ પ્રજા મોંઘવારીમાં હોમાય તેની તે ચિંતા નથી કરતા. કરે તોય તે બેકારી કે મોંધવારી અંગે કોઈ ઉપાય કરી શકે એમ નથી. જો કે, અર્થશાસ્ત્રીઓને વકીલો પણ ન કહેવા જોઈએ, કારણ કે વકીલોને ' તો જો તે ખોટા ધંધા કરે તો સજા ફટકારી શકાય છે, જ્યારે અર્થશાસ્ત્રીઓ આખા સમાજનું નિકંદન કાઢે તો ય એમને સજા નથી કરી શકાતી. - એટલે આમ નાગરિકોએ હવે જાતે જ જદી જાતનું અર્થતંત્ર વિચારવું પડશે. ગામડાંના કરોડો લોકોએ એ તપાસવું પડશે કે જીવનની મુખ્ય વસ્તુઓના, ખાસ તો કાપડ અને બીજી ચીજોના ભાવો બજારમાં બહુ વધતા જાય છે પણ જો આપણા ગામના જે લોકો આપણે ત્યાંના જ કાચા માલમાંથી કાપડ અને આ બીજી વસ્તુઓ બનાવે તો આપણને તે ઘણી જ સસ્તી મળે. બીજું, એ કારણે આપણને પણ ધંધો કરવાની તક મળે અને તો આપણને એટલી બધી આવક થાય કે એમાંથી આપણે આપણા ગામમાં બનતી ઘણી બધી વસ્તુઓ મેળવી શકીએ. આ પ્રમાણે ઉત્પાદન આપણે અત્યંત ઓછા ખર્ચ કરી શકીએ એટલે વસ્તુઓની ઘણી છત રહે. ઉપરાંત આ પ્રમાણે ઉત્પાદન આપણે આપણા ગામમાં જ બનતાં સાધનોથી કરી શકીએ તેથી પૈસા કે સરકારની જરૂર ન રહે તેથી - અત્યારના તંત્રની બદીઓમાંથી મુક્ત થઈ શકીએ. એ માટે ગામડાંમાં કાપડ તદના ઓછા ખર્ચે બનાવવાનું શરૂ કરી શકીએ અને એની પાછળ બીજા ઉદ્યોગો. - અર્થશાસ્ત્ર અંગે આ જાતની ચેતવણી આપી હતી જોગાનુજોગ એક વકીલે, ગાંધીજીએ. “ભારતીય અર્થશાસ્ત્રનો પાઠ્યક્રમ” નામના લેખમાં તે કહે છે કે “ભારતની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy