SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજયંતી ઉજવાશે?? / ૬૫ બતાવ્યા વગર જો આપણે શાળા-કૉલેજમાં જઈને વિદ્યાર્થીઓને એને વિશે વાતો જ કરીએ અથવા એમને ફરજિયાત એ શીખવીએ તો એમને એમાં શો રસ પડે? અને અત્યારે તો ખાદી કમિશન અને તેના ભંડારોને કારણે ખાદી અને રેંટિયાના અર્થ જ લોકો ઊંધા સમજે છે. છતાં, આપણા દેશમાં અત્યારે એમ ન થતું હોય પણ, રેંટિયા-સાળ દ્વારા કાપડ તથા તેની પાછળના સ્થાનિક ઉદ્યોગો અને તે દ્વારા ગ્રામ સ્વરાજ અને ગ્રામોદ્યની વાત ગાંધીજીએ તો આપણને વ્હેલી છે. કોઈ એ ન દોહરાવે તો પણ એમનાં લખાણોના સંગ્રહ ગાંધીજીનો અક્ષરમાં એ સ્પષ્ટ આપેલી છે. પરદેશના લોકોને પણ ગાંધીજીની વાતમાં ઘણો રસ પડે છે. ત્યાં પ્રવચન કે ચર્ચા સાર્થક છે, કારણ કે તેમના માટે આ નવી વાત છે, કાપડ જાતે બનાવી શકાય એની પણ ત્યાંના લોકોને ખબર નથી. રેંટિયા વડે સૂતર જાતે બનાવી શકાય અને સાળ વડે તે સૂતરનું ગામડામાં જ કાપડ બનાવી શકાય એ તેમને ‘નવી વૈજ્ઞાનિક શોધ' લાગે છે. એટલે એમને આ જાણકારી મળે તે ઉપયોગી છે. આપણા દેશમાં તો આ કંઈ નવું ન હોવાથી આપણે તો વાતો કે ઉત્સવને બદલે આ કામ જ કરવું જોઈએ ને? ગાંધીજીએ જ્યારે લોકોએ એમનો જન્મદિવસ ઉજવવા માટે બહુ આગ્રહ રાખ્યો ત્યારે કહ્યું હતું કે જાઓ, તમારે જો મહિમા કરવો જ હોય તો મારો નહીં પણ રેંટિયાનો મહિમા કરો. એટલે જ એમના જન્મદિવસનું નામ રેંટિયાબારશ’ રાખવામાં આવ્યું. હા, અતુલની નિશાળમાં રેંટિયાબારશે અંતણનો કાર્યક્રમ રાખ્યો છે. હું પણ ઘેર કાંતવાનો છું. પણ આપણે ઘરમાં બેસીને સૂતર કાંત્યું કે શાળામાં સમૂહકાંતણ કર્યું એથી કોઈ ફેર નહીં પડે. રેંટિયાનો અર્થ એ છે કે ગામડાના નબળા લોકો પોતાના જ ગામડામાં કાપડ બનાવી શકે અને એથી એમને અત્યારે કાપડ જે ફરજિયાત બહારથી ખરીદવું પડે છે એ ન પડે, એથી એમને ફરજિયાતપણે પૈસાની જરૂર નં પડે, એથી એમને નોકરી કે મજૂરી માટે આજીજી ન કરવી પડે, તેઓ જાતે જ કાપડ અને પછી કાપડના વિનિમયમાં બીજી વસ્તુઓ મેળવી સમૃદ્ધ અને સ્વતંત્ર થાય. સુનિલ : આ કામ કરવા માટે બીજી ઑક્ટોબર જ શા માટે? જે દિવસે • આ કામ કરીએ એ દિવસે ગાંધીજીનો જન્મ નથી ? પ્રવીણ : મને ઉમાશંકર જોશીની એક કવિતાની પંક્તિઓ યાદ આવે છે માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા; બાજુ મૂક્યા ઊંચકી, તે દી નકી Jain Education International જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો. -તિથિ ન જોશો ટીપણેગાંધીજયંતી તે દિને. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy