SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ | ધન્ય આ ધરતી અનાજ મેળવી શકેને? અને આવી મુખ્ય વસ્તુ કાપડ છે, જે અશક્ત લોકો , પણ બનાવી શકે એમ છે.” બધાને જમીન ન આપી શકાય” સુરભિએ સૂચવ્યું. વી રીતે જેમની પાસે જમીન છે એમની પાસેથી એ છીનવી લઈને તો બીજાને ન આપી શકાય ને?” “આપણા દેશમાં ભૂમિદાન યજ્ઞ થયો હતો. એ વખતે ઘણા ખેડૂતોએ પોતાની જમીનમાંથી ભાગ આખ્ય પણ હતો, પરંતુ જમીનની રાષ્ટ્રવ્યાપી સમસ્યા આ . રીતે ન ઉકેલી શકે.” સૌરભે બીજી બાજુ તપાસી. “અને બધાં પાસે જમીન હોવી જરૂરી પણ નથી, કારણ કે જેમની પાસે જમીન છે એમને અનાજ ઉપરાંત બીજી વસ્તુઓ પણ જોઈએ છે. તેથી જેમની પાસે જમીન છે તેઓ અનાજ અને કાચા માલનું ઉત્પાદન કરે અને બીજા લોકો બીજી વસ્તુઓનું ઉત્પાદન કરે. “સરકારે તો લોકો માટે છે. એની ફરજ નથી કે લોકોને કમ સે કમ બે ટંકનો રોટલો મળે એવી વ્યવસ્થા કરે?” એ જ અગત્યની હકીક્ત આપણે વિચારવી પડશે કે સરકાર ગામડાંના આ ભૂમિહીન લોકોને કોઈ રીતે અનાજ પૂરું પાડી શકે એમ નથી, કારણ કે સરકારે આ લાખો લોકોને રોજી આપી શકે એમ નથી. સરકાર લોકહિતનાં કામ કરવા માગે તો પણ આ વસ્તુ કરી શકે તેમ નથી.” જે લોકોને રોજી જ ન મળી શકે તો રોટી કેવી રીતે મળી શકે?” તો પછી જે સરકાર પાસેથી લાખો લોકોને રોજી કે રોટી મળી શકવાની ન હોય એની આશાએ કેવી રીતે બેસી રહેવાય ?” “વો તો લાખ દિખાતે કરિશમે હુસ્ન ગાલિબ, (લેકિન) અપના હી નસીબ ટેઢા ૩ કિ હમેં કુછ મિલતા નહીં.” સૌરભે ગાલિબને નામે પણ પોતાનો જ બનાવેલો શેર ઠોક્યો. “તારી શાયરી બાજુએ રાખ. એમ કંઈ નસીબને દોષ દઈને બેસી રહેવાશે? પેટનો ખાડો શાયરીથી નહીં પૂરાય. સરકાર મોટા ભાગની પ્રજાને રોજ નહીં આપી શકે એ સ્પષ્ટ છે અને આયાત-નિકાસના ઝાંઝવાથી કંઈ કરોડો લોકોને ધંધા ન મળે. સરકાર ન આપી શકે તો એને બાજુએ રાખીને પણ ગામડાના લોકોએ રોજી તો શોધવી જ પડશે.” અને ગામડાંના લોકો કાપડનો ધંધો તો જાતે શરૂ કરી શકે એમ છે, એનું બજાર પણ ત્યાં છે.” મેં મારી દલીલની સાબિતી આપી. “અને એ માત્ર કાપડ મેળવવા માટેની નહીં, પણ કાપડની પાછળ શરૂ થતા બીજા ધંધાઓ દ્વારા ભૂમિહીન લોકોને જાતે જ રોજી, રોટી અને સમૃદ્ધિ મેળવવાની ચાવી છે.” “જો આ રસ્તો દુનિયાના કરોડો લોકોને તાત્કાલિક મદદ કરી શકે એવો છે તો એની ઉપેક્ષા કેવી રીતે કરાય?' અને આ નબળા લાકો મૂંગા હોય છે. એમાં પણ આપણા અત્યારના આક્રમણકારી તંત્રમાં તેઓ જાતે કેવી રીતે આ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરી શકે? આપણે એમને શરૂઆત કરવામાં મદદ કરવી જોઈએ.” પહેલી જરૂર રોટીની છે, એટલા માટે પહેલી જરૂર રેંટિયાની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy