SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રૂનો પ્રશ્ન | ૩૫ ગામડાંમાં કાપડ બનાવવાની તમારી વાત લાભદાયી છે? અલબત્ત, મને જણાય છે કે તમે એ પૂરવાર કર્યું છે કે લોકો રેંટિયો કાંતવા રાજ છે અને આમ એ ગેરસમજ દૂર કરી છે કે સાદો રેંટિયો એ પરાણે કરવી પડતી વેઠ છે. મને રામદેવનગર અંગેના મારા પ્રશ્નની સ્પષ્ટતા જોઈએ છે. પત્રકાર બહેનને જવાબ લખતાં મને લાગ્યું કે રૂ માટેના પ્રશ્નમાં ઘણા વાચકોને રસ પડશે. રૂનો તો કોઈ મોટો પ્રશ્ન જ નથી, કારણ કે રેંટિયા માટે ઉપયોગી ટૂંકા તાંતણાનું ર તો વેસ્ટ એટલે કે ખરાબાની જમીનમાં સહેલાઈથી ઉગાડી શકાય એમ છે. રામદેવનગર શહેરમાં સીમા પાર આવેલો ખચોખચ ઝૂંપડાવાસ છે, ત્યાં જમીને નથી એટલે ત્યાં રૂ ઉગાડી શકાય એમ નથી. પરંતુ આવી જગાઓએ સસ્તા ભાવે રૂ આપવામાં મુશ્કેલી નથી. છેવટે, શરૂઆતમાં સફળ ઝૂંપડાવાસના નમૂનાઓ કરી બતાવવા માટે તો નથી જ. રામદેવનગર માટે રૂ ખરીદવા જ્યારે હું અમદાવાદના રૂ બજારના એક મેનેજરની ઓફિક્સમાં ગઈ હતી ત્યારે તેઓ ફોન પર રૂનો સોદો કાનપુરની કોઈ પાર્ટી સાથે કરી રહ્યા હતા. બાજુમાં મદ્રાસની પાર્ટીના ટૂંકકૉલના ફોનનું રિસિવર રાહ જોતું પડેલું હતું અને ત્રીજા ફોન પર ઘંટડી વાગતી હતી તે ટૂંકકોલ જયપુરની પાર્ટીનો હતો. તેઓ હજારો ગાંસડીના હિસાબે સોદા કરી રહ્યા હતા ને એક ગાંસડી એટલે ૧૬૦ કિલો રૂ. ઍમના માટે સો કિલો ટૂંકા તાંતણાનું સસ્તું રે આપવું રમત વાત હતી. - રામદેવનગરમાં મેં છ રૂપિયે કિલો રૂ આપ્યું, કારણ કે એ વખતે રૂનો બજારભાવ (ટૂંકા તાંતણાના રૂનો) છ રૂપિયા હતો, પછી બજારમાં રૂનો ભાવ વધ્યો ત્યારે પણ ત્યાં તો છ રૂપિયા જે ભાવ ચાલુ રાખ્યો, કારણ કે રૂના વેપારી પણ સમાજસેવા માટે આટલું તો કરવા માગતા હતા અને એમણે બજારભાવ લેવાની ઘસીને ના પાડી. શહેરના ઝૂંપડાવાસના રહીશો જો જાતે કાપડ બનાવવા માગતા હોય તો એમને રૂના ખર્ચમાં મદદ કરી શકાય, કારણ કે તેઓ ગામડાંમાંથી આવે છે તેથી એમના દ્વારા કાપડ બનાવવાના લાભની વાત તરત ગામડાંમાં પહોંચશે અને ગામડાંમાં તો ટૂંકા તાંતણાનું ર તદ્દન ઓછા ખર્ચે ઉગાડી શકાય એમ છે. અત્યાર સુધીનાં મારાં બધાં કામોમાં મને પૈસા નિરુપયોગી અને ખરેખર તો કામને નિષ્ફળ બનાવનારા લાગ્યા છે પરંતુ શહેરમાં રેંટિયો કાંતનારાને રૂ ખરીદવામાં મદદ કરવી એ એક પૈસાનો સદુપયોગ જડ્યો છે, જે ત્યાં વણકર હોય તો. કાંતનારાને રૂના ખર્ચમાં મદદ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એમને રૂ જો બજારભાવ કરતાં ઘણું સસ્તું મળે તો એ રૂની ગોદડી-ઓશીકાં વગેરે બનાવવાનું કે બીજે રૂ વેચવાનું પણ મન થઈ જાય. આમાંથી રસ્તો કાઢવા રામદેવનગરમાં એમ વિચાર્યું છે કે દરેક જણ પહેલો કિલો રૂ લે ત્યારે એની પૂરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy