SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ આપણું નસીબ ક્યારનું લખાઈ ચૂક્યું છે ગયા રવિવારના જન્મભૂમિ-પ્રવાસીમાં અહેવાલ છે : “જલગાંવના જાતીય કૌભાંડની તપાસ કરી રહેલા એક પ્રામાણિક પોલીસ અધિકારીની ‘સામાન્ય ક્રમમાં’ જ બદલી કરી દેવાઈ! આપણા મુખ્ય પ્રધાન એમ કહે છે. એ પોલીસ અધિકારીની જગાએ નિમાયેલા નવા અધિકારી કહે છે, ‘આમાં માત્ર ૩૭ છોકરીઓ પર જ બળાત્કાર થયા છે અને મુખ્ય આરોપી નાસતા ફરે છે.’ જાણે તપાસ અંગે આમાં વધુ શું થઈ શકે એમ જ ન હોય! ગેસના જોડાણ માટે, રેશનકાર્ડના નવેસરથી સંધાણ માટે કે જાહેર હોસ્પિટલોમાં સમયસરની તબીબી મદદ મેળવવા લોકોને નાકે દમ આવી જાય છે.”. ગયા રવિવારનું જ નહિ, રોજ સવારનું છાપું ખોલતાં આવા સમાચારો આપણને ગૂગંળાવે છે. આપણે શા માટે આટલા બધા અસહાય છીએ ? આપણે આમાંથી બહાર નીકળવા ધમપછાડા કરીએ છીએ, પણ છતાં વધુ ને વધુ સાતા જઈએ છીએ. શા માટે? કારણ કે આપણા સહુનું નસીબ તો બસો વર્ષ પહેલાં જે દિવસે માણસે ‘સ્પિનિંગ જેની’ સ્વીકારી ત્યારનું લખાઈ ચૂક્યું છે. આપણે જન્મીએ છીએ મુક્ત, પરંતુ આપણે આપણી જાતને જંજીરોથી જકડાયેલી અનુભવીએ છીએ, કારણ કે દુનિયાને આવરી લેતા જે અર્થતંત્રની અંદર આપણે કામ કરવું પડે છે એ અર્થતંત્ર આપણને ગુલામ બનાવે છે. ગંજાવર મંત્રોથી થતા જંગી ઉત્પાદનને લીધે જે થોડા જણની પાસે અઢળક પૈસો ભેગો થાય છે તેમની પાસે બાકીના કરોડો લોકોની રોજગારી, આવક અને જીવન ઉપર પણ કાબૂ આવે છે. આજે પશ્ચિમના દેશોમાં લોકો અને બીજા દેશોમાં પણ સામાજિક કાર્યકરો, અત્યારના યંત્રોદ્યોગને પર્યાવરણના, પ્રાણીસંરક્ષણના અને પૃથ્વી પરના ઉષ્ણતામાનમાં થઈ રહેલા ફેરફારોના પ્રશ્નો અંગે દોષ દે છે, પરંતુ પશ્ચિમના દેશોના લોકો જે મુખ્ય મુદ્દો નથી ઉઠાવતા તે તો છે મંત્રોદ્યોગને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોમાં સર્જાયેલી ભયંકર બેકારી અને એમાંથી પરિણમેલી ગરીબાઈ અને લાચારી. યંત્રોદ્યોગનું સૌથી મોટું દૂષણ તો આ છે. કરોડો લોકોની વેડફાઈ રહેલી જિંદગી માટે યંત્રોદ્યોગને કોઈ દોષ નથી દેતા કારણ કે એ બેકારી યુરોપ-અમેરિકામાં નહીં પણ બીજે ખડકાઈ છે, પણ યુરોપ-અમેરિકામાં હવામાનમાં થોડો ફેરફાર થાય તો એના માટે યંત્રોદ્યોગને વિશે ઊહાપોહ થાય છે. યંત્રોદ્યોગથી ઊભી થતી સમસ્યાઓનું મૂળ કારણ નાણું છે જેના વગર Jain Education International ૨૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy