SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસની દિશા | ૨૩ અત્યારનું અર્થતંત્ર વિકાસની વિરુદ્ધનું છે. ઉપરાંત અત્યારના અર્થતંત્રે દુનિયાની પોણાભાગની વસતિને બેકાર બનાવી છે અને વધુ ને વધુ લોકોને બેકારીના ખપ્પરમાં હોમતું જાય છે. એને વિકાસશીલ કેવી રીતે કહેવાય? તેથી હવે વિચારકો એમ કહેવા લાગ્યા છે કે છેલ્લા બે સૈકાનો આર્થિક વિકાસ ખોટો વિકાસ હતો. બસો વર્ષ પહેલાં ભારત સમૃદ્ધિની ટોચ પર હતું. અહીં આવવા અંગ્રેજ, ચ, ડચ અને પોર્ટુગીઝ લડાઈમાં ઊતર્યા હતા. ત્યારે અંગ્રેજો વડે રેંટિયા અને સાળના કાપડઉદ્યોગનો નાશ કરાયો હતો. અને એના કારણે ભારતની સમૃદ્ધ પ્રજા અત્યારે ગરીબાઈ અને લાચારીમાં ધકેલાઈ છે; એની જગપ્રસિદ્ધ કળાકારીગરીનો નાશ થયો છે. એવા હાથકાપડના ઉદ્યોગને પુર્નજીવિત કરવો એને અ-વૈજ્ઞાનિક કઈ રીતે કહેવાય ? વ્યવહારિક દષ્ટિએ જોઈએ તો પણ રેંટિયા અને સાળ વડે અનેકગણું સસ્તુ અને સુંદર કાપડ બનાવવું એને પછાતપણું કેવી રીતે કહેવાય અને કાપડ પાછળ તો આપણા દેશના લોકોનું સૌથી વધુ ખર્ચ થાય છે જ્યારે બીજી બાજુ રેંટિયા વડે કાપડ બેકાર, અશક્ત લોકો માત્ર કપાસ વડે અને તે પણ ખરાબાની જમીન પર ઊગતા કપાસ વડે બનાવી શકે. ઘણા બીજો વિરોધ કરે છે : રેંટિયો તો કેટલો ધીમો છે? આ વિરોધ તદ્દન અસ્થાને છે, કારણ કે જે લોકો રેટિયા માગે છે તેઓ : નિવૃત્ત તથા ઘરડા કરોડો લોકો છે. એમનાથી ભારે કામ થઈ શકે એમ નથી. એમને શાંતિનું કામ જોઈએ છે. એમને માટે રેંટિયો ધીમો નહીં પણ આશીર્વાદરૂપ છે કારણ કે એમને માટે કોઈ પ્રવૃત્તિ નથી અને રેંટિયા વડે તેઓ અર્થતંત્રના કેન્દ્રરૂપ કાપડનું ઉત્પાદન કરી શકે છે. એ સિવાય કોઈ સરકાર કે કોઈ બૅન્ક એમને કામ આપી શકે તેમ નથી. જો આ રીતે નિવૃત્ત લોકો દ્વારા કાપડ બને તો દરેક સ્થળે બીજા લોકો એ કાપડ લઈ એના બદલામાં પૈસાને બદલે કોઈ વસ્તુ કે સેવા આપી શકે એટલે - દરેકને ધંધા મળે. આ રીતે બીજી વસ્તુઓ-સેવાઓનું ઉત્પાદન કરવાનું બિલકુલ ધીમું નથી, ઊલટું ઘણું ઝડપી છે. એટલે જુવાન, સશક્ત બેકાર લોકો માટે તો આ રીતે પોતાના ગામમાં નિવૃત્ત લોકો કાપડ બનાવે એ અત્યંત જરૂરી છે, કારણ કે તો જ એમને ધંધો મળે એમ છે. છતાં ઘણા વિરોધ કરે છે : ગરીબ લોકોને પણ આધુનિક સુખસગવડો મળે એવું કરવું જોઈએ. એને બદલે રેંટિયો તો એમને પછાત જ રાખે ને ? ગરીબના ગરીબ જ રાખે ને. આ બીજો ભ્રમ છે. રેંટિયા અને સાળ વડે ગામમાં જ ઊગતા રૂમાંથી કાપડ બનાવી શકાય અને ગામના જ બજારમાં વેચી શકાય એટલે અત્યારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy