SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ / ધન્ય આ ધરતી આંગણાની નાનકડી જમીનમાં બે-ત્રણ સ્તરે શાક-ફળ ઉગાડીએ એટલે છોડને પ્રકાશ પૂરતો ન મળતાં તેને રોગ વધુ લાગે પણ આપણા સૌનો અનુભવ છે કે શરદી કે ટીબીનાં જંતુ હવામાં બધે હોવા છતાં અમુક માણસોને જ શરદી કે ટીબી થાય છે. જે વ્યક્તિની રોગ સામે ટક્કર ઝીલવાની શક્તિ વધુ -હોય તેને રોગ થતો નથી. એવું જ છોડની બાબતમાં. જે છોડ નબળા અથવા ઓછી પ્રતિકારશક્તિ ધરાવતા હોય તેને ઝટ રોગ લાગે છે. એટલે રોગની સામે ટકે એવી તાકાત અને તંદુરસ્તીવાળા છોડ ઉછેરી શકાય તો જંતુનાશક દવાઓ મોટા પ્રમાણમાં છાંટવી ન પડે. છોડની તંદુરસ્તી માટેનું સરસ સૂત્ર છે : તંદુરસ્ત ધરતી તો તંદુરસ્ત છોડ, તંદુરસ્ત છોડનો ખોરાક પણ તંદુરસ્ત અને તેવા છોડનો પાક જે લે તે માણસ પણ તંદુરસ્ત. એટલે માનવજાતનું આરોગ્ય વધારવું હોય તો તંદુરસ્ત છોડ ઉછેરો. છોડની તંદુરસ્તીનો ઉપાય તંદુરસ્ત જમીન છે. જમીનને તંદુરસ્ત બનાવવાનો ઉપાય એ છે કે જે જમીનમાં જીવાણુઓ જેટલા વધુ તેટલી એ તંદુરસ્ત. અત્યારે રાસાયણિક ખાતરોનો અને જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે તે જમીનને જીવતી રાખતાં કરોડો જીવાણુઓને મારી નાખે છે. એ જમીનનું સમતોલપણું ખોરવાઈ જાય છે. એવી જમીનમાં ઊગેલો છોડ ભલે દેખાવમાં લીલો ચ લાગે પણ એ માંદલો હોય. એને રોગ થયા વગર ન રહે. આપણે જે પાનપાથરી અને અળસિયાંની મદદથી છોડ ઉગાડવાની વાત કરી એ ખેતી જમીનને તંદુરસ્ત બનાવે છે. એટલે એ છોડને રોગ ઓછો લાગે છે અને એ રોગ સામે ટક્કર ઝીલી શકે છે. બીજું કે આપણે એક્લો ગુવાર કે ભીંડા કે કોઈ એક જ વસ્તુ ઉગાડીએ તો તેને રોગ લાગવાની શક્યતા વધારે રહે છે. એટલે જુદીજુદી જાતના છોડ સાથે વાવવાનું હેવામાં આવે છે. આપણે નાનક્ડા આંગણામાં ત્રણ સ્તરે એની ખેતી કરીએ તેમાં જુદાજુદા છોડ સાથે વાવી શકીએ. અગાસી કે ત્રીજે માળે ટીંડોળી ચડાવી હોય, બીજે માળે કારેલી હોય, નીચે ભીંડા કે ગુવાર હોય અને છેક જમીન પર પત્તરવેલી હોય. વળી, વચમાં તુલસીના છોડ હોય તો તેની સુવાસથી પણ રોગ ઓછા આવે છે. શિયાળો આવતાં ડુંગળી, લીલું લસણ વાવીએ તો તેની ગંધથી જંતુઓ તે વિસ્તારથી દૂર ભાગે છે અને આજુબાજુના છોડને રોગ સામે રક્ષણ મળે છે. માણસની તંદુરસ્તીનો આધાર તંદુરસ્ત અનાજ તંદુરસ્ત અનાજનો આધાર તંદુરસ્ત છોડ તંદુરસ્ત છોડનો આધાર તંદુરસ્ત જમીન. જમીનની તંદુરસ્તી માટે જમીનમાંથી જે લો તે તેનાં ડાળાં, પાંદડાંને નકામાં ગણીને બાળો નહીં. તેમને જમીનમાં પાછાં નાંખી બીજી પેઢીની સેવામાં તેમનો અર્ધ્ય ધરો. જમીનને પાછું આપો. કવિએ આપણા ભારત દેશ વિશે કહ્યું છે કે “જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy