SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ / ધન્ય આ ધરતી માટી તો માત્ર છોડના ટેકા માટે અને મૂળને ફેલાવા માટે છે અને છોડને પોષણ બહારથી તૈયાર કરેલું મળે છે. અળસિયાં ઉછેરવાની ડોલને નીચે બે ઇંટો કે ટેકો મૂકી અદ્ધર રાખવી. એમાંનાં અળસિયાં બહાર નહીં આવે. એક પ્રશ્ન થશે કે અળસિયાં ઉછેરવા માટે ડોલમાં પણ ઉપર અળસિયાંવાળી માટી પાથરવાની છે તો એવી માટી ક્યાંથી લાવવી? આ પ્રશ્ન દહીંના મેળવણ જેવો છે. દહીં બનાવવાની શરૂઆત કરવા માટે પહેલાં એક વખત થોડુંક દહીં બહારથી લાવવું પડે, પણ પછી દર વખતે દહીં વાપરતી વખતે એમાંથી એક ચમચી મેળવણ રાખીને ફરી દહીં બનાવતાં રહેવાય. એ જ પ્રમાણે ડોલમાં અળસિયાં ઉછેરવા માટે શરૂઆતમાં એક વખત થોડી અળસિયાંવાળી માટીનું ‘મેળવણ’ લાવવું પડે. પછી સવા-દોઢ મહિને આખી ડોલમાં અળસિયાનું ખાતર તૈયાર થઈ જાય ત્યારે તે ખાતર કુંડામાં નાખીને તેમાંથી થોડુંક રહેવા દેવાનું અને એમાંથી ફ્રી ડોલમાં અળસિયાંનું ખાતર બનાવતાં રહેવાનું. હવે તો આવું અળસિયાંવાળી માટીનું ‘મેળવણ’ વેચવાનો મોટો ધંધો ચાલે છે. આવી એક ઘાસતેલના ડબ્બા જેટલી માટી ચારસો જેટલા રૂપિયાની આવે છે. આવી માટી જાતે પણ બનાવી શકાય. કોઈ ઝાડના છાંયડામાં ઝાડના મૂળ પાસે અળસિયાનું ખાતર બનાવી શકાય. મૂળની જમીન ઉપર પાંદડાં પાથરી તે સતત ભેજવાળાં રહે એવી વ્યવસ્થા રાખીએ તો એમાં અળસિયાં ઉત્પન્ન થશે. થોડું છાણ નાખીએ તો સહેલાઈથી થશે. ચીકુ, નાળિયેરી, કેળ વગેરે પાણીનાં ઝાડ છે એટલે તેમની નીચે અળસિયાંનું ખાતર થઈ શકે. સૂકા પ્રદેશમાં કે જ્યાં ભેજ અને અંધકાર ન હોય ત્યાં તાડપત્રી કે બીજો છાંયો બનાવીને આ ખાતર બનાવી શકાય. ભેજ માટે પાંદડાં-છાણના ઢગલાને ભીના કંતાનના કોથળાથી ઢાંકી દેવાથી ઢગલેબંધ અળસિયાં પેદા થશે. ખાતર તૈયાર થાય ત્યારે એ ખાતરને પ્લાસ્ટિક ઉપર પાથરી દેવાથી પ્રકાશમાં આવવાને કારણે બધાં અળસિયાં તળિયે નીચેના થરમાં જતાં રહેશે. પછી ઉપરથી પક્વ દાણાદાર ખાતર લઈલઈને છોડને આપવું. આ ખાતર કોમ્પોસ્ટના ખાતર કરતાં વધારે ક્સવાળું હોય છે અને તાત્કાલિક અસર કરે છે. વાઓ મોંઘી થતી જાય છે ત્યારે ઘરની બાલ્કની, ઓટલા કે અગાસીમાં ઉપર-નીચે ઠંડા ગોઠવી શાકભાજી ઉગાડી કુટુંબની તંદુરસ્તી માટે વિટામિન અને લોહતત્ત્વ મેળવી શકીએ. કુટુંબના બધા સભ્યોને આ સર્જનમાં રસ પડે એ જુદો. કૂંડામાં શાકભાજી ઉગાડવાનું આનંદપ્રદ છે, ઉત્પાદક છે અને આરોગ્ય આપનાર પણ છે. માણસે જ્યારે નવીનવી શોધો કરીને કુદરતને નાથવાનો પ્રયત્ન ર્યો છે ત્યારે કુદરતે પણ માણસને થપ્પડ લગાવી છે. પરંતુ માણસ જો કુદરત સાથે હળીમળીને રહે તો કુદરત પણ એને સાથ આપે છે, પોષે છે. રાસાયણિક ખાતરોથી અને રાસાયણિક જંતુનાશકોથી જમીનનાં તત્ત્વોનો નાશ થાય છે અને એ જમીનમાં થયેલા પાક્થી માણસની તંદુરસ્તીનો નાશ થાય છે. એટલે જ ગુરુજનો કહે છે કે જીવાડીને જીવો. રાસાયણિક ખાતરો વગર ઉપર બતાવેલી સજીવ પદ્ધતિએ થતી ખેતી એ અહિંસક ખેતી છે. આદિ કવિ નરસિંહ મહેતાએ શ્રી હરિ વિશે ગાયું છે: ‘પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફાલી રહ્યો આકાશે.’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy