SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કુદરતમાં કશું નકામું નથી / ૧૨૯ મૂળિયાંના છેડા સુધી પહોંચી જાય છે. છોડને વધવા માટે જે પોષણ જોઈએ તે નજીકમાંથી જ મળી રહેતું હોય તો છોડ શા માટે ખોરાક મેળવવા દૂર સુધી મૂળ ફેલાવે - ટૂંકમાં, પાન અને અળસિયાં દ્વારા છોડને તૈયાર પોષણ પૂરું પાડવું એ ઉત્પાદનની ચાવી છે. આ માટે ઘરનાં બાળકો અને વડીલો પણ મદદ કરી શકે. પાન જ નહિ, ઘરનો બધો કચરો ખાતરમાં ફેરવી શકાય. કુદરતના જીવનચકમાં કશું જ નકામું નથી. પાનપથારી ત્રણ કામ કરશે. પહેલું તો જમીનમાંના ભેજને ઊડી જતો રોકશે. કુદરતમાં પણ આપણે જોઈએ છીએ કે ઉનાળો આવતાં પહેલાં વૃક્ષો પોતાનાં પાન ખેરવી પોતાને તળિયે પાથરી દે છે જેથી ઉનાળાની ગરમીથી જમીનમાંનો ભેજ ઊડી ન જાય. . " બીજું, પાન એ અળસિયાનો ખોરાક છે. એ ખોરાક તો અળસિયું ખાશે જ પણ સાથે સાથે અળસિયું માટી પણ ખાશે. અળસિયાનાં શરીરની રચના એવી છે કે તેના પેટમાં ચક્કી હોય છે. માટીના કણો અને સજીવ પદાથ આ ચક્કીમાં પિસાય છે અને અળસિયાંની અઘાર ઉત્તમ અને તરત જ પોષણ આપે એવું ખાતર બનાવે છે. ત્રીજી અને મહત્વની વાત એ છે કે અળસિયાં જ ખેતી કરશે. અળસિયાં કુદરતનાં ફળ છે. જમીનને ખેડવાથી કે ખોદવાથી તો ઊલટાનું આપણે જમીનમાંના જીવાણુઓના કુદરતી કમને ખોરવી નાખીએ છીએ. દરેક અળસિયું હવા લેવા માટે દિવસમાં ૯થી ૧૦ વાર જમીનમાંથી બહાર નીકળે છે અને પાછાં જમીનની અંદર જતાં નવું કાણું પાડે છે. આમ જમીન પોચી પડે છે. અળસિયાંએ બનાવેલાં એ પાતળાં પોલાણોમાં ભેજ સંઘરાઈ રહે છે. અને ખાતરનો કસ એ પોલાણોમાં થઈને છોડના મૂળના ટોચકા સુધી પહોંચે છે. અળસિયાંની ફરવાની રચના કેશનની જેવી હોય છે. એટલે ભેજ અને ઓગળેલો ખોરાક છોડ કે વેલના મૂળ પ્રદેશમાં રહે છે. એને પરિણામે જે કાંઈ ભેજ અને કસ હોય તેનો લગભગ સો ટકા છોડના વિકાસમાં ઉપયોગ થાય છે. પાનપથારી અને અળસિયાંની મદદથી શાકભાજી અને છોડ ૩૦ ટકા ઓછા - પાણીની મદદથી ઊગી શકે છે. અળસિયાંની મદદથી શાકભાજી ઉગાડવામાં ખેડ કે ગોડ કરવાની પણ જરૂર નથી. કારણ કે એ કામ અળસિયાં કરે છે. ઊલટાનું ગોડ કરવાથી અળસિયાં ઘવાય છે. જમીન ખુલ્લી થતાં પક્ષીઓ તેમને ખાઈ જાય છે. તેમણે બનાવેલી નાળો તૂટી જાય છે. જમીન પરનું વનસ્પતિનું પડ જતું રહે તો તે ઉપર સુધી આવતાં નથી. એટલે ગોડ કરવાને બદલે અળસિયાંનો ખોરાક પાંદડાં છોડની આજુબાજુ પાથરવાનું વધુ ઉપયોગી છે. આમ, નહીં ખેડ, નહીં ખાતર, નહીં જોખમી રાસાયણિક જંતુનાશકો, માત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy