SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ૪૩ મા અને બાળકના પોષણનો સવાલ અમદાવાદના સાબરમતીને કિનારે આવેલા એક ઝૂંપડાવાસમાં હું ગઈ, ત્યાં મેં જોયું કે દરેક ઝૂંપડાની (ખરેખર તો ઓરડીની, શહેરના ગરીબોને તો ઝૂંપડા જેટલી જગા પણ ક્યાં મળે છે?) બહાર છોકરીઓ લાલ મરચું અને લસણ વાટી રહી હતી. પહેલાં તો મને લાગ્યું કે આ લોકોને સ્વાદમાં કેટલો રસ પડતો હશે કે બધાં તીખી ચટણી બનાવે છે. પણ એ મારી મૂર્ખામી હતી. પછી મને જાણ થઈ કે એ ચટણી તેઓ એટલા માટે બનાવતી હતી કે લાલ મરચું અને લસણ વાટીને ખાઈએ તો તેની ઉપર એટલું બધું પાણી પીવું પડે કે ભૂખ મરી જાય. એટેલે ઘરમાં ખાવાનું ન હોય તો ભૂખને મારી નાખવાનો આ ઉપાય હતો !! એટલે એ અરસામાં યુનીસેની ઑક્સે મને બાળકો માટેના પોષણક્ષમ આહાર માટે તપાસ કરવા માટે પૂછ્યું ત્યારે એ કામ હું લઈ ન શકી, કારણ કે જ્યાં મૂળે ખાવાનું જ કંઈ ન હોય ત્યાં પોષણક્ષમ ખોરાક્ની વાત કેવી રીતે કરવી? ભૂખ ન લાગે એ માટે પાણીથી પેટ ભરવા મરચું અને લસણ ખાઈને પેટમાં આગ લગાડવાની હોય એમને એ કઈ રીતે હી શકાય કે ચણા અને ગોળ ખાવાથી પોષણ મળે છે? એમાંય જે થોડું ખાવાનું હોય તેમાંથી પણ કુટુંબના બધા સભ્યોમાં મા અને નાના બાળકને ભાગે તો તદ્દન ઓછો ભાગ આવે છે. ઝૂંપડાવાસમાં એમ કહેવાય છે કે કુટુંબમાં જો જુવાન પુરુષ મરી જાય તો તેની પાછળ બહુ રોકકળ થાય. કારણ કે એના જવાથી કુટુંબના રોટલાનો રળનાર જતો રહે છે, કુટુંબ નિરાધાર થઈ જાય છે. પણ સ્ત્રી મરી જાય તો એટલી રોળ થતી નથી અને બાળક, તેમાંયે નાનું બાળક મરી જાય તો તેની પાછળ ખાસ કોઈ રડતું નથી. આ વાત કુટુંબના જુદાજુદા સભ્યોને મળતા ખોરાકમાં પણ લાગુ પડે છે. સાંજ પડ્યે જે કંઈ થોડી ક્માણી થઈ હોય એમાંથી જે થોડું ખાવાનું બને એમાંથી સામાન્ય રીતે પુરુષને સૌથી મોટો ભાગ જાય. કારણ કે એ રોટલાનો રળનાર છે, પછી થોડો છોકરાઓને જાય અને મા તથા નાના બાળકને માટે તો સૌથી ઓછો જ ભાગ આવે. ગરીબ વર્ગમાં આ કારણે મા અને બાળકને પોષણની અછતના મુશ્કેલ પ્રશ્નો ઊભા થાય છે. આ કુટુંબોમાં બાળકો પણ વધારે હોય છે. વસ્તીવધારાને નિયંત્રિત કરવા અંગે બેમત ન હોઈ શકે. પરંતુ ગરીબ માણસને એનાં બાળકોની સંખ્યા ઓછી કરવાનું કહેવું એ પૈસાદાર માણસને એનું બેંક બેલેન્સ ઓછું હેવા બરાબર છે. કારણ કે ગરીબોની પાસે કોઈ જીવન વીમો કે કોઈ સામાજિક સુરક્ષા ફંડ કે કોઈ મૂડી-મિલક્ત નથી કે જે તેને ઘડપણમાં કે અપંગ અવસ્થામાં કે આફ્ત વખતે સહાયરૂપ બને. એને તો એનાં બાળકો જ એક્માત્ર સહારો છે. જો એને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005612
Book TitleDhanya aa Aarti
Original Sutra AuthorN/A
AuthorNandini Joshi
PublisherUnnati Prakashan
Publication Year1996
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy